તીન મૂર્તિનું સ્વરૂપ બદલવાની કોશિશ ના કરે સરકારઃ મનમોહન સિંહ
દેશના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે દેશના વર્તમાન પીએમ નરેન્દ્ર મોદીને કહ્યુ છે કે તેમની સરકાર પંડિત નહેરુની સ્મૃતિને મિટાવવાની કોશિશ કરી રહ્યા છે જે અયોગ્ય છે.
દેશના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે દેશના વર્તમાન પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે જેમાં તેમણે પીએમ મોદીને કહ્યુ છે કે તેમની સરકાર પંડિત નહેરુની સ્મૃતિને મિટાવવાની કોશિશ કરી રહ્યા છે જે અયોગ્ય છે. વાસ્તવમાં મોદી સરકારની યોજના છે કે નેહુર મેમોરિયલ અને લાઈબ્રેરી (એનએમએમએલ) અને તીન મૂર્તિ કોમ્પ્લેક્સમાં બધા પ્રધાનમંત્રીઓના મ્યુઝિયમ સ્થાપિત કરવામાં આવે.

નહેરુ કોંગ્રેસના નહિ પરંતુ સમગ્ર દેશના નેતાઃ મનમોહન સિંહ
દેશના પૂર્વ પ્રધાનમંત્રીએ પીએમ પ્રધાનમંત્રીને નહેરુ વિશે પત્ર લખ્યો છે જેમાં તેમણે સરકારની આ યોજના પર સવાલ ઉઠાવ્યો છે. મનમોહન સિંહે લખ્યુ છે કે એક એજન્ડા હેઠળ એનએમએમએલ અને તીન મૂર્તિ કોમ્પ્લેક્સની પ્રકૃતિ અને ચરિત્રને બદલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે અયોગ્ય છે. જ્યારે પંડિત નહેરુ માત્ર કોંગ્રેસના નહિ પરંતુ સમગ્ર દેશના નેતા છે.

‘તીન મૂર્તિનું સ્વરુપ બદલવાની કોશિશ ના કરે મોદી સરકાર'
સરકારે નહેરુની સ્મૃતિઓ અને દેશવાસીઓની ભાવનાઓ સાથે છેડછાડ ના કરવી જોઈએ એટલા માટે પંડિત નહેરુની સ્મૃતિઓ સાથે જોડાયેલ તીન મૂર્તિ કોમ્પ્લેક્સમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન ન થવુ જોઈએ. કહેવામાં આવી રહ્યુ છે કે મનમોહન સિંહે ગયા અઠવાડિયે જ પીએમ મોદીને આ વિશે પત્ર લખ્યો હતો.

સરકાર તીન મૂર્તિ કોમ્પ્લેક્સનું સ્વરૂપ બદલવા ઈચ્છે છે....
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે સરકાર તીન મૂર્તિ કોમ્પ્લેક્સનું સ્વરૂપ બદલવા ઈચ્છે છે જેના પર કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ભાજપ સરકાર નહેરુના વારસાને ખતમ કરવા માંગે છે. તમને જણાવી દઈએ કે તીન મૂર્તિ પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુનું નિવાસસ્થાન હતુ. 1964 માં તેમના મૃત્યુ બાદ ભવનમાં તેમના નામનું મ્યુઝિયમ અને લાયબ્રેરી બનાવી દેવામાં આવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
