NCP નેતાનુ વિવાદીત નિવેદન, ઔરંગઝેબ હિન્દુ વિરોધી નહોતો, તેણે સંભાજીની આંખો કાઢી, મંદિર નહોતા તોડ્યા
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતાએ સંભાજી મહારાજને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. ઔરંગઝેબ હિન્દુ વિરોધી નહોતો, તેણે સંભાજીની આંખો કાઢી, મંદિર નહોતા તોડ્યા,
મહારાષ્ટ્રમાં તાજેતરમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની શિવાજી મહારાજ વિશેની ટિપ્પણી સામે ચાલી રહેલા વિરોધ બાદ જે હોબાળો ચાલી રહ્યો હતો તે શાંત થઈ ગયો હતો કે હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતાએ સંભાજી મહારાજને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જે બાદ ફરી એકવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતાએ સંભાજી મહારાજને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. ત્યારબાદ રાજકીય હંગામો શરૂ થયો છે. NCP નેતા જીતેન્દ્ર આવ્હાડે છત્રપતિ શિવાજીના મોટા પુત્ર સંભાજી મહારાજને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે.

ઔંગઝેબ હિન્દુ વિરોધી નહી
NCP નેતા જીતેન્દ્ર આવ્હાડે કહ્યું કે મુઘલ શાસક ઔરંગઝેબ હિંદુ વિરોધી ન હતા. NCP નેતાએ તેમના નિવેદનમાં કહ્યું કે તેમને (છત્રપતિ સંભાજી મહારાજ)ને બહાદુરગઢ લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની આંખો બહાર કાઢવામાં આવી હતી. બહાદુરગઢ કિલ્લા પાસે વિષ્ણુ મંદિર હતું. જો ઔરંગઝેબ ક્રૂર અથવા હિંદુ વિરોધી હોત, તો તેણે તે મંદિરને પણ નષ્ટ કરી દીધું હોત.

NCP નેતાએ સંભાજી મહારાજનું અપમાન કર્યું: શિંદે
જિતેન્દ્ર આવ્હાડના આ નિવેદન બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ NCP નેતા પર વળતો પ્રહાર કરતા કહ્યું કે NCP ઔરંગઝેબના વખાણ કરી રહી છે અને સંભાજી મહારાજનું અપમાન કરી રહી છે. પોતાના નિવેદનમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) છત્રપતિ સંભાજી મહારાજનું અપમાન કરી રહી છે અને ઔરંગઝેબની પ્રશંસા કરી રહી છે. ઔરંગઝેબે મહારાષ્ટ્રમાં ઘણા મંદિરો તોડ્યા અને મહિલાઓ પર અત્યાચાર કર્યો.

કોણ છે સંભાજી મહારાજ?
સંભાજી મહારાજ છત્રપતિ શિવાજીના મોટા પુત્ર હતા, જેમની ગણના દેશના મહાન યોદ્ધાઓમાં થાય છે. શિવાજી મહારાજના મૃત્યુ પછી 1680માં સંભાજી મરાઠા સામ્રાજ્યના બીજા છત્રપતિ બન્યા. સંભાજીનો જન્મ 14 મે 1657ના રોજ પુરંદરના કિલ્લામાં થયો હતો. નવ વર્ષની ઉંમરે શિવાજી મહારાજ તેમને આગ્રા અભિયાનમાં પોતાની સાથે લઈ ગયા. વર્ષ 1689માં છત્રપતિ સંભાજી રાજે અને ઔરંગઝેબના સરદાર મુકરબખાન વચ્ચે યુદ્ધ થયું, જેમાં મુઘલ સેનાએ સંભાજી મહારાજને પકડી લીધા. જે બાદ તેમને 40 દિવસ સુધી ટોર્ચર કરવામાં આવ્યા અને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવ્યું, પરંતુ તેઓ ઝૂક્યા નહીં, ત્યારબાદ 11 માર્ચ, 1689ના રોજ સંભાજી મહારાજનું અવસાન થયું હતું.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
