સુશાંત સિંહ ડ્રગ્સ કેસમાં NCB એ ઉદ્યોગપતિ કુણાલ જાનીની ધરપકડ કરી!
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ બોલીવુડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસમાં વેપારી કુણાલ જાનીની ધરપકડ કરી છે. બિઝનેસમેન કુણાલ જાની પાસે હોટલ છે.
મુંબઈ, 30 સપ્ટેમ્બર : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ બોલીવુડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસમાં વેપારી કુણાલ જાનીની ધરપકડ કરી છે. બિઝનેસમેન કુણાલ જાની પાસે હોટલ છે. રિપોર્ટ અનુસાર, કુણાલ જાની સુશાંત સિંહ રાજપૂતનો ખાસ મિત્ર હતો અને સુશાંતના મૃત્યુ બાદથી તે ફરાર હતો.

ગયા મહિને એનડીપીએસ કોર્ટે ફરી એક વખત સુશાંત સિંહ રાજપૂતના ફ્લેટમેટ અને મિત્ર સિદ્ધાર્થ પીઠાણીની જામીન અરજી ફગાવી દીધી હતી. સિદ્ધાર્થ પીઠાણીના વકીલ તારક સૈયદે આ અંગે માહિતી આપી હતી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ ખૂલાશો કર્યો કે કોર્ટે અરજી ફગાવી દીધી, કારણ કે તેને અરજીમાં કોઈ યોગ્યતા દેખાતી નથી.
સિદ્ધાર્થ પીઠાણી ઉપરાંત NCB એ સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાન્ડા, સાવંત સાવંત સહિત અન્ય સ્ટાફ સભ્યોની પણ ધરપકડ કરી હતી. સ્વર્ગીય અભિનેતા સુશાંતના ઘરના મદદગાર કેશવ અને નીરજની ગયા મહિને NCB દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી, તેઓએ ડ્રગ્સના કેસમાં સિદ્ધાર્થ પીઠાણીની ભૂમિકાનો સંકેત આપ્યો હતો.
તમને જણાવી દઈએ કે, 14 જૂન 2020 ના રોજ સવારે સુશાંત સિંહ રાજપૂત મુંબઈના બ્રાન્દ્રા સ્થિત તેમના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેનો રૂમ અંદરથી બંધ હતો. સુશાંતનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે BMC ની કૂપર્સ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. પોસ્ટ-મોર્ટમ રિપોર્ટ બાદ મુંબઈ પોલીસના આસિસ્ટન્ટ કમિશનર અભિષેક ત્રિમુખેએ કહ્યું હતું કે પોસ્ટ-મોર્ટમ રિપોર્ટ મુજબ સુશાંતનું મોત ફાંસીને કારણે ગૂંગળામણથી થયું હતું.
જો કે, બાદમાં સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી સહિત તેના સમગ્ર પરિવાર સામે આ મામલે ઘણા આક્ષેપો કરીને કેસ દાખલ કર્યો હતો. હાલ સુશાંતના મોતના કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે. સીબીઆઈએ હજુ સુધી અંતિમ અહેવાલ રજૂ કર્યો નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
