નવજોત સિદ્ધુનો કેપ્ટન પર કટાક્ષ, કહ્યું - હું મરતા દમ સુધી રહીશ રાહુલ-પ્રિયંકાનો વફાદાર

લુધિયાણા પહોંચેલા નવજોત સિંહ સિદ્ધુએ પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પર કટાક્ષ કર્યો હતો. લુધિયાણામાં કાર્યકર્તાઓ સાથેની બેઠક દરમિયાન સીએમ ચરણજીત સિંહ ચન્ની અને નવજોત સિંહ સિદ્ધુ બંને એકસાથે જોવા મળ્યા હતા.

નવી દિલ્હી : પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુનું વલણ નરમ થતું જોવા મળી રહ્યું છે. નવજોત સિંહ સિદ્ધુએ સોમવારના રોજ જણાવ્યું હતું કે, તેઓ મરતા દમ સુધી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને વફાદાર રહેશે.

નવજોત સિદ્ધુ

નવજોત સિંહ સિદ્ધુએ પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પર કટાક્ષ કર્યો

લુધિયાણા પહોંચેલા નવજોત સિંહ સિદ્ધુએ પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પર કટાક્ષ કર્યો હતો. લુધિયાણામાં કાર્યકર્તાઓ સાથેની બેઠક દરમિયાન સીએમ ચરણજીત સિંહ ચન્ની અને નવજોત સિંહ સિદ્ધુ બંને એકસાથે જોવા મળ્યા હતા, કોંગ્રેસ પાર્ટીના સંયુક્ત ચહેરાને આગળ ધપાવતા હતા.

પંજાબ મોડલમાં 50 ટકા ક્વોટા આપવો જોઈએ

પંજાબ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ સોમવારના રોજ લુધિયાણામાં જણાવ્યું હતું કે, 'જે કામ 3 મહિનામાં થયું તે સાડા ચાર વર્ષમાં નથી થયું. હું મારા મૃત્યુ સુધી રાહુલ અને પ્રિયંકા ગાંધીને વફાદાર રહીશ. યુપીમાં પ્રિયંકા ગાંધીએ 2022ની ચૂંટણીમાં મહિલાઓ માટે 40 ટકા અનામતની જાહેરાત કરી છે. હું કહીશ કે, આપણા પંજાબ મોડલમાં 50 ટકા ક્વોટા આપવો જોઈએ.

કેજરીવાલ પર કટાક્ષ - ખેડૂતોને કઇ સબસિડી આપે છે?

પંજાબ સરકારના કામો ગણાવતા નવજોત સિંહ સિદ્ધુએ જણાવ્યું કે, અમે ખેડૂતોને 8,000 કરોડ રૂપિયાની સબસિડી આપી રહ્યા છીએ. કયું રાજ્ય આટલી સબસિડી આપી રહ્યું છે. સિદ્ધુએ આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કર્યો કે, તેઓ ખેડૂતોને કઇ સબસિડી આપે છે?

મહિલાઓને આરક્ષણની જરૂર નથી. તેમને તેમના વાજબી હિસ્સાની જરૂર છે

સિદ્ધુએ વધુમાં જણાવ્યું હતું કે, રશિયા અને ચીનમાં ઔદ્યોગિક ક્રાંતિ આવી, પરંતુ પંજાબના વિકાસ માટે માફિયા રાજને ખતમ કરવું પડશે. પંજાબ વિધાનસભાની ચૂંટણી નૈતિક સિદ્ધાંતો પર લડવામાં આવશે અને ઈમાનદાર જીતશે. સીએમ ચન્નીએ કહ્યું, 'મહિલાઓને આરક્ષણની જરૂર નથી. તેમને તેમના વાજબી હિસ્સાની જરૂર છે, જે કોંગ્રેસ દ્વારા શક્ય દરેક રીતે આપવામાં આવશે.

રાજ્યમાં પાંચ હજાર અધ્યક્ષની જગ્યાઓ ખાલી છે. આ જગ્યાઓ ભરી દો, આગામી સરકાર બની જશે

કોંગ્રેસ સભાને સંબોધતા નવજોત સિદ્ધુએ કહ્યું કે, હું કાર્યકરો માટે લડું છું. સિદ્ધુની જેમ ઘણા આવશે, ઘણા જશે, પરંતુ કોંગ્રેસ રહેશે. પાર્ટી સંગઠન બનાવવાની જરૂર છે. પાર્ટીનું સંગઠન બનતાની સાથે જ 2022માં પણ રાજ્યમાં અમારી સરકાર બનશે. રાજ્યમાં પાંચ હજાર અધ્યક્ષની જગ્યાઓ ખાલી છે. આ જગ્યાઓ ભરી દો, આગામી સરકાર બની જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X