નરેન્દ્ર મોદી પ્રતીકાત્મક દાંડીયાત્રાનો ગાંધીઆશ્રમ અમદાવાદથી પ્રારંભ કરાવશે
નરેન્દ્ર મોદી પ્રતીકાત્મક દાંડીયાત્રાનો ગાંધીઆશ્રમ અમદાવાદથી પ્રારંભ કરાવશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે 12 માર્ચે અમદાવાદમાં આવશે. નરેન્દ્ર મોદી પ્રતીકાત્મક રીતે અમદાવાદથી દાંડીયાત્રાનો પ્રારંભ કરાવશે.
ગાંધીઆશ્રમથી પદયાત્રાઓ દાંડીકૂચનો પ્રારંભ કરશે અને 5 એપ્રિલે પદયાત્રીઓ દાંડી પહોંચશે.
આ દાંડીયાત્રામાં 81 પદયાત્રીઓ જોડાશે. વડા પ્રધાનના કાર્યક્રમને લઈને સમગ્ર તૈયારીઓ પણ કરી દેવાઈ છે.
ગાંધીઆશ્રમને સજાવવામાં આવ્યો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
- બાપુ બોલે તો....ગાંધીજી પોતે ગાંધીવાદી હતા ખરા?
- ગાંધીજીને ભારતના ભાગલા માટે જવાબદાર ગણવા કેટલા યોગ્ય?
'આઝાદીનો અમૃત મહોત્સવ'
આ કાર્યક્રમને 'આઝાદીનો અમૃત મહોત્સવ' નામ આપવામાં આવ્યું છે.
'આઝાદીનો અમૃત મહોત્સવ' ભારત સરકાર દ્વારા સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં આયોજિત કાર્યક્રમોની એક કડી છે.
https://twitter.com/PIB_India/status/1369952501336739843
પીઆઈબી ઇન્ડિયાએ જણાવ્યા પ્રમાણે કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી સહિત ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય મંત્રી વિજય રૂપાણી સહિત અનેક નેતાઓ હાજર રહેશે.
વડા પ્રધાન આ સમયે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું ઉદઘાટન કરશે અને સાબરમતી આશ્રમમાં સભાને સંબોધન પણ કરશે.
સ્વતંત્રતાનાં 75 વર્ષ નિમિત્તે અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'આઝાદીનો અમૃત મહોત્સવ' યોજવા પર વીડિયો કૉન્ફરન્સથી સંબોધન કર્યું હતું.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે "આઝાદીનાં 75 વર્ષનો સમારોહ એવો હોવો જોઈએ, જેમાં સ્વતંત્રતા સંગ્રામની ભાવના, શહીદોને શ્રદ્ધાંજલિ તથા ભારતના નિર્માણ માટે તેમના સંકલ્પોનો અનુભવ કરી શકાય."
તેમણે કહ્યું કે "આ કાર્યક્રમ વિશ્વની સામે 75 વર્ષની સિદ્ધિઓને પણ પ્રદર્શિત કરશે અને આગામી 25 વર્ષ માટે આપણા માટે સંકલ્પ કરવાની એક રૂપરેખા પણ પ્રદાન કરશે."
વડા પ્રધાને જાણકારી આપી કે 75 વર્ષના સમારોહ માટે પાંચ સ્તંભોનો નિર્ણય કરવામાં આવ્યો છે. એ છે સ્વતંત્રતા સંગ્રામ, 75 પર વિચાર, 75 પર સિદ્ધિઓ, 75 પર પગલાં અને 75 પર સંકલ્પ.
- મોહન ડેલકર : આપઘાત કેસમાં રહસ્ય ઘેરું કેમ બની રહ્યું છે અને કોણ છે પ્રફુલ ખોડા પટેલ?
- સુરતના કથિત સીમી કેસના આરોપીઓને નિર્દોષ છૂટતાં 20 વર્ષ કેમ લાગ્યાં?
જ્યારે ગાંધીજીએ અમદાવાદથી દાંડીકૂચની શરૂઆત કરી

12 માર્ચ, 1930ના દિવસે ગાંધીજીએ અમદાવાદથી દાંડીકૂચની શરૂઆત કરી હતી.
સવારે સાડા છ વાગ્યે 78 સત્યાગ્રહીઓ સાથે ગાંધીજીએ મીઠાના કાયદાને તોડવા માટે દાંડી તરફ કૂચનો આરંભ કર્યો હતો.
દાંડીમાર્ચના સત્યાગ્રહીઓએ 12મી માર્ચની પહેલી સાંજ અમદાવાદના અસલાલીમાં ગાળી હતી.
ત્રીજા દિવસે ગાંધીજીની સાથે બીજા બે સત્યાગ્રહીઓ પણ જોડાયા હતા. અને એ રીતે કુલ સંખ્યા ગાંધીજી સહિત 81 સત્યાગ્રહીઓ સુધી પહોંચી હતી.
નવાગામ, માતર, નડિયાદ અને આણંદના રસ્તે આ યાત્રા પાંચ એપ્રિલે નવસારી થઈને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારાના દાંડી સુધી પહોંચી હતી.
છઠ્ઠી એપ્રિલે સવારે સાડા છ વાગ્યે મહાત્મા ગાંધીએ દાંડીના દરિયાકાંઠે મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો.
દાંડીયાત્રા સાથે અમદાવાદનો દાંડીપુલ જોડાયેલો છે. સાબરમતી આશ્રમની નજીક આવેલા આ પુલ પરથી થઈને જ ગાંધીજી સત્યાગ્રહીઓ સાથે દાંડી પહોંચ્યા હતા.
- મુંબઈને જ્યારે ગૅંગવૉરથી બચાવવા પોલીસે ધડાધડ ઍન્કાઉન્ટરો કર્યાં
- ગુજરાતમાં દલિત પરિવારને પોલીસના બંદોબસ્ત સાથે વરઘોડો કેમ કાઢવો પડ્યો?

- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=-4XTVXnJG1w
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
