નરેન્દ્ર મોદીના સ્થાને રાહુલ ગાંધીને અપાયું આમંત્રણ

મળતી માહિતી અનુસાર આયોજકોએ રાહુલ ગાંધીના નજીકના કનિષ્ક સિંહની મદદથી તેમનો સંપર્ક સાધ્યો છે. કનિષ્ક વ્હાર્ટનના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. તે ઇચ્છે છે કે રાહુલ પણ આ કાર્યક્રમમાં સંબોધિત કરે.
આ પહેલા એવા સમાચાર હતા કે, અમેરિકાના વોર્ટન ઇન્ડિયા ઇકોનોમિક ફોરમમાં ભાજપના નેતા નરેન્દ્ર મોદીના સ્થાને હવે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ બોલશે. પાર્ટીએ સોમવારે રાત્રે કન્ફોર્મ કર્યું છે કે અરવિંદ કેજરીવાલને વોર્ટનમાં 23 માર્ચના રોજ સ્પીચનું આમંત્રણ આપવામાં આવ્યું છે. અરવિંદ કેજરીવાલ વિડિયો કોન્ફરસિંગના માધ્યમથી પોતાનું ભાષણ આપશે.
જો કે 23 માર્ચથી તે દિલ્હીમં અનશન પર બેસી રહ્યાં છે. આ મુદ્દે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે વોર્ટનમાં ઓર્ગેનાઇઝર્સ સાથે વાતચીત થઇ છે, જેમાં ટાઇમ મેનેજ કરવાની વાત કહી છે. વોર્ટન ઇન્ડિયા ઇકોનોમિક ફોરમનું આયોજન વિદ્યાર્થીઓ કરે છે. નરેન્દ્ર મોદીના સંબોધન પર વિદ્યાર્થીઓની ટુકડીએ અને પ્રોફેસરોએ વિરોધ વ્યક્ત કરી રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વોર્ટને રવિવારે નરેન્દ્ર મોદીનું આમંત્રણ રદ કર્યું હતું, જેથી બીજા દિવસે સોમવારે અદાણી ગ્રુપે વોર્ટન પ્રોગામમાંથી પોતાની સ્પોનરશિપ પરત લઇ લીધી છે. ગુજરાતના અદાણી ગ્રુપ ક્રાર્યક્રમનો મેન સ્પોન્સર હતો. ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પણ આ ક્રાર્યક્રમમાંથી પાછી પાની કરી લીધી છે.
તો બીજી તર્ફ શિવસેનાના સુરેશ પ્રભુએ પણ નરેન્દ્ર મોદી અને દેશનું અપમાન ગણાવતાં વિરોધ સ્વરૂપે વોર્ટનનો પોતાનો પ્રવાસ રદ કર્યો છે. કહેવામાં આવે છે કે પેંસિલવેનિયા યૂનિવર્સિટીના ત્રણ ભારતીય-અમેરિકી પ્રોફેસરોની અધ્યક્ષતામાં 135 લોકોની યાદી મળ્યા બાદ વોર્ટને નરેન્દ્ર મોદીનું આમંત્રણ રદ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી ગુજરાતમાં 2002માં અલ્પસંખ્યકો વિરૂદ્ધ કોમી રમખાણો વિરૂદ્ધ અવગણાના ગંભીર આરોપો છે.
આ ગંભીર આરોપોના કારણે અમેરિકા નરેન્દ્ર મોદીને વિઝા આપવાથી મનાઇ કરી રહ્યું છે. જો કે અનુમાન લગાવવામાં આવે છે કે નરેન્દ્ર મોદી ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે સૌથી પ્રબળ દાવેદાર છે માટે અમેરિકા તેમને વિઝા આપવા પર વિચાર કરી શકે છે. પરંતુ હજુ સુધી અમેરિકાના વલણમાં કોઇ પરિવર્તન જોવા મળ્યું નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
