નરેન્દ્ર મોદી હીરાબાને પગે લાગ્યા, તો કેજરીવાલને પેટમાં દુખ્યું
કેજરીવાલે નરેન્દ્ર મોદીના ટ્વીટને લઇ તેમની પર પ્રહાર કરતાં કહ્યું છે કે, હું મારી માતા સાથે રહું છું, રોજ તેમના આશીર્વાદ લઉં છું, પરંતુ એ અંગે બડાઇ નથી હાંકતો.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે ફરી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ટીકાના ભોગ બનવાનો વારો આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. તેઓ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017ના ઉદ્ઘાટન માટે ગાંધીનગર આવ્યા છે. હાલ તેઓ મહાત્મા મંદિર ખાતે વિવિધ દેશોના ડેલિગેટ્સ સાથેની મીટિંગમાં વ્યસ્ત છે. આજે તેમની ગુજરાત યાત્રાનો બીજો દિવસ છે અને તેમણે આજના દિવસની શરૂઆત પોતાના માતા હીરાબાના આશીર્વાદથી કરી છે.

અહીં વાંચો - જવાન તેજ બહાદુરના વીડિયો પર BSF નું નિવેદન, જાણો શું કહ્યું
નરેન્દ્ર મોદીએ આજે સવારે પોતાના યોગનો કાર્યક્રમ જતો કરી એ સમય દરમિયાન ગાંધીનગર પાસે રાયસણ ખાતે રહેતાં પોતાના માતાની મુલાકાત લીધી હતી અને તેમની સાથે જ ચા-નાસ્તો કર્યો હતો. પીએમ મોદીએ જાતે આ અંગે ટ્વીટ કરી જાણકારી આપી હતી.
Skipped Yoga & went to meet mother. Before dawn had breakfast with her. Was great spending time together.
— Narendra Modi (@narendramodi) January 10, 2017
કેજરીવાલે નરેન્દ્ર મોદીના આ ટ્વીટ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતાં બે ટ્વીટ લખ્યાં છે. એક ટ્વીટમાં તેમણે લખ્યું છે કે, 'હું મારા માતા સાથે રહું છું અને રોજ તેમના આશીર્વાદ લઉં છું, પરંતુ એ અંગે બડાઇ નથી હાંકતો. હુ રાજકારણ માટે મારા માતાને બેન્કની લાઇનમાં પણ નથી ઊભા રાખતો.'
मैं अपनी माँ के साथ रहता हूँ, रोज़ उनका आशीर्वाद लेता हूँ लेकिन ढिंढोरा नहीं पीटता। मैं माँ को राजनीति के लिए बैंक की लाइन में भी नहीं लगाता https://t.co/CT243GCiaC
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 10, 2017
ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદીના માતા હીરાબા, કે જેઓ 97 વર્ષનાં છે, તેઓ નોટબંધીના નિર્ણય બાદ બેન્કની લાઇનમાં ઊભેલા જોવા મળ્યા હતા. તેઓ જૂની ચલણી નોટો બદલાવવા માટે બેન્ક ગયા હતા.
ત્યારબાદ અન્ય એક ટ્વીટ કરતાં કેજરીવાલે લખ્યું કે, 'હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ કહે છે ઘરડી માતા અને ધર્મપત્નીને પોતાની સાથે રાખવા જોઇએ. PM આવાસ ખૂબ મોટું છે, થોડું હૃદય પણ મોટું રાખો.'
हिंदू धर्म और भारतीय संस्कृति कहती है कि आपको अपनी बूढ़ी माँ और धर्मपत्नी को अपने साथ रखना चाहिए। PM आवास बहुत बड़ा है, थोड़ा दिल बड़ा कीजिए https://t.co/CT243GTTzc
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 10, 2017
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
