ઝારખંડમાં પીએમ મોદી બોલ્યાઃ કોંગ્રેસ માટે ખેડૂતો મતબેંક, અમારા માટે અન્નદાતા
શનિવારે ઝારખંડ પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને ખેડૂતોની ખરાબ પરિસ્થિતિ માટે જવાબદાર ગણાવ્યા છે.
શનિવારે ઝારખંડ પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને ખેડૂતોની ખરાબ પરિસ્થિતિ માટે જવાબદાર ગણાવ્યા છે. પલામુમાં ઘણી પરિયોજનાઓના શિલાન્યાસ બાદ રેલીને સંબોધિત કરતા મોદીએ કહ્યુ કે કોંગ્રેસે જો વ્યવસ્થિત કામ કર્યુ હોત તો આજે ખેડૂત હેરાન ન હોત, તેને દેવુ લેવાની જરૂર ના પડત. કોંગ્રેસે સતત ક્યારેક દેવામાફી તો ક્યારેક અન્ય રીતોથી ખેડૂતોને લલચાવવાનું કામ કર્યુ, તેમના સારા માટે કામ ન કર્યુ.

મોદીએ કહ્યુ, કોંગ્રેસ માટે ખેડૂત માત્ર મતબેંક છે પરંતુ અમારા માટે ખેડૂત અમારા અન્નદાતા છે, કોંગ્રેસ અને ભાજપમાં આ જ અંતર છે. કોંગ્રેસની સરકારોએ સમય રહેતા ખેડૂત હિતોની પરિયોજનાઓ પૂરી કરી દીધી હોત તો આજે ખેડૂતોને દેવુ લેવાની જરૂર ના પડત. પહેલા કોંગ્રેસ સરકારોએ ખેડૂતોને દેવુ લેવા પર મજબૂર કર્યા અને આજે કોંગ્રેસ દેવામાફીના નામ પર ખેડૂતોને ભટકાવી રહી છે. કોંગ્રેસે માત્ર પરિયોજનાઓને લટકાવવાનું કામ કર્યુ પરંતુ જ્યારથી અમારી સરકાર આવી છે, અમે સતત ખેડૂત અને સામાન્ય જનતા માટે કામ કરી રહ્યા છે.

મોદીએ કહ્યુ કે ઉજ્જવળ ભવિષ્ય માટે દેશના ખેડૂતોને શક્તિશાળઈ બનાવવાની દિશામાં અમે આગળ વધી રહ્યા છે. અમે ખેડૂતો અને દેશની સેવાને પોતાનો ધર્મ માનીને કાર્ય કરી રહ્યા છે. વચ્ચેથી બજાર સુધી નવી વ્યવસ્થા ઉભી કરીને અમે ખેડૂતોને સશક્ત કરી રહ્યા છે. પહેલાની યોજનાઓ જે નામોના આધાર પર ચાલી તે આજે જમીન પર દેખાતી નથી. અમારી સરકાર નામના ઝઘડાઓમાં નહિ પડીને કામ કરવામાં વિશ્વાસ રાખે છે. અમારી સરકારમાં દલાલો અને વચેટિયાઓની કોઈ જગ્યા નથી.
અમે સરકારની યોજનાઓને લાભાર્થીઓના ખાતાઓમાં સીધા પૈસા જમા કરીને પારદર્શક અને ઈમાનદાર કામ કરી રહ્યા છે. પોતાની સરકારના સારા કામ કરવાનો દાવો કરતા મોદીએ કહ્યુ કે જ્યારે દેશમાં રિમોટ કંટ્રોલની સરકાર હતી તો તેમણે પાંચ વર્ષમાં ગામોમાં માત્ર 25 લાખ ઘર બનાવ્યા હતા અને અમે પાંચ વર્ષથી પણ ઓછા સમયમાં 1 કરોડ 25 લાખ ઘર બનાવી દીધા છે. પહેલા જે ઘર મળતા હતા તેમાં માત્ર ખાલી ચાર દિવાલો હતી પરંતુ હવે જે ઘર મળી રહ્યા છે તેમાં તમામ મૂળભૂત સુવિધાઓ છે જે એક પરિવાર માટે જરૂરી હોય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ઝારખંડના પ્રવાસ પર છે. અહીં તેમણે મેદનીનગરમાં ઉત્તર કોયલ (મંડલ ડેમ) પરિયોજના સહિત છ પરિયોજનાઓની આધારશિલા મૂકી છે. આ યોજનાઓ પર 25,202 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થવાનો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
