મોદીએ જેમને નમન કર્યું, એ ગલબાભાઇ નાનજીભાઇ પટેલ કોણ હતા?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે, ત્યારે તેમણે પોતાના ભાષણમાં ગલબાભાઇની તપસ્યાને નમન કર્યાં હતા. આ ગલબાભાઇ નાનજીભાઇ પટેલ કોણ હતા? વાંચો અહીં..
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ડીસા ખાતેના પોતાના ભાષણમાં ગલબાભાઇ નાનજીભાઇનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, હું ગલબાભાઇની તપસ્યાને નમન કરું છું. આ ગલભાભાઇ કોણ હતા?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠા દુગ્ધ સહકારી ડેરી સંયંત્રની સાથે બીજી ઘણી લોક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી છે. બનાસકાંઠાના ડીસામાં જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું હતું કે, હું અહીં વડાપ્રધાન તરીકે નહીં, પરંતુ આ ધરતીના સંતાન તરીકે આવ્યો છું. હું આ ધરતીને નમન કરું છું. ગલબાભાઇની તપસ્યાને નમન કરું છું, જેમણે નાની-નાની દૂધ મંડળીઓ દ્વારા શરૂઆત કરી હતી અને દૂધ ઉત્પાદનના ક્ષેત્રને એક નવી દિશા આપી હતી.

અહીં પીએમ નરેન્દ્ર મોદીએ જે ગલબાભાઇનો ઉલ્લેખ કર્યો છે, તેમણે '60ના દાયકામાં બનાસકાંઠામાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે સાહસિક અને ક્રાંતિકારિ નિર્ણયો લીધા હતા.
ઉત્તર ગુજરાતમાં તેઓ ગલબાકાકાના નામે જાણીતા થયા હતા. '60ના દાયકામાં તેમણે બનાસકાંઠામાં 'બનાસ ડેરી'ની શરૂઆત કરી હતી. આ બનાસ ડેરીનાં ઉત્પાદનોને જ આજે આપણે 'અમૂલ' નામથી ઓળખીએ છીએ.
નાનકડી શરૂઆતને મળી વૈશ્વિક સફળતા
આજે અમૂલ દૂધ ઉત્પાદનના ક્ષેત્રે મોટું નામ છે. પરંતુ ઇ.સ.1969માં ગલબાભાઇએ નાની-નાની 8 દૂધ મંડળીઓ દ્વારા આ બનાસ ડેરી શરૂ કરી હતી. ગલબાભાઇની આ નાનકડી શરૂઆતે પશુ-પાલન અને દૂધ ઉત્પાદન ક્ષેત્રના નવાં રસ્તાઓ ખોલી આપ્યા.
ઇ.સ.1969માં નાના સ્તરે શરૂ થયેલી આ જ બનાસ ડેરી આજે દૂધ ઉત્પાદનમાં એશિયામાં નંબર 1 છે. બનાસ ડેરીના ઉત્પાદનો આજે બનાસ, સાગર અને અમૂલના નામે બજારમાં ઉપલબ્ધ છે.
અચરજની વાત તો એ છે કે ઇ.સ.1969માં બનાસ ડેરીનો પાયો નાંખ્યાના ચાર જ વર્ષમાં ઇ.સ.1973માં ગલબાભાઇનું નિધન થઇ ગયું હતું. પરંતુ એમની દૂરદર્શિતાને કારણે આ ચાર વર્ષ દરમિયાનમાં શ્વેતક્રાંતિના બીજ નંખાઇ ગયા હતા. દુનિયા આજે પણ તેમને શ્વેતક્રાંતિના જનક તરીકે યાદ કરે છે.
બનાસકાંઠા રણવિસ્તાર હોવાને કારણે ત્યાં પહેલા અનહદ ગરીબી હતી, પરંતુ બનાસ ડેરીની સ્થાપના સાથે ગરીબી દુર થવાની શરૂઆત થઇ અને ત્યાર બાદ સુખની જે લહેર આવી તેને કારણે બનાસકાંઠાના લોકો આજે પણ ગલબાભાઇને યાદ કરે છે. પીએમ નરેન્દ્ર મોદીએ આજે કહ્યું એમ, રણની ધરતીને સોનામાં બદલી નાંખી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
