ગુજરાત રમખાણ મુદ્દે મોદીને માફી માંગવાનું જરૂરિયાત નથી: સલમાન
નવી દિલ્હી, 20 જાન્યુઆરી: બૉલીવુડ સ્ટાર સલમાન ખાને ફરી એકવાર ઇશારા-ઇશારામાં નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી દિધી છે. તેમને એક સમાચાર ચેનલ સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે ગુજરાતમાં 2002માં જે રમખાણ થયા છે તેને લઇને નરેન્દ્ર મોદીને લઇને માફી માંગવાની જરૂરત નથી. સલમાન ખાને કહ્યું હતું કે કોર્ટે આ મુદ્દે તેમને ક્લિન ચિટ આપી દિધી છે તો પછી તેના માટે નરેન્દ્ર મોદીને માફી માંગવાની જરૂરત શું છે.
નરેન્દ્ર મોદી સાથે તાજેતરમાં જ મુલાકત કરવા સાથે જોડાયેલા જવાબમાં સલમાન ખાને કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને સીબીઆઇ અને કોર્ટ દ્વારા ક્લિનચિટ મળી ગઇ છે, તો વાત અહીં જ પુરી થઇ જાય છે. તેમને કહ્યું હતું કે હું કોઇ જજ નથી, જે નરેન્દ્ર મોદી વિશે નિર્ણય લઇ શકું' તેમને કહ્યું હતું કે જો તે નરેન્દ્ર મોદીને મળ્યા તો તેના પર હંગામો થાય છે?
જ્યારે સલમાન ખાનને પૂછવામાં આવ્યું કે શું નરેન્દ્ર મોદી સારા વડાપ્રધાન સાબિત થઇ શકે છે, તો સલમાન ખાને જવાબ આપ્યો હતો કે આ નિર્ણય કરવાનું તેમનું કામ નથી. સલમાન ખાને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સાથે પતંગબાજી કરવામાં તેમને ખૂબ મજા આવી. યુપીના સૈઇફ મહોત્સવમાં ભાગ લેવાના મુદ્દે સલમાન ખાને કહ્યું હતું કે કોઇએ એ કહેવાની જરૂરિયાત નથી કે તેમનું નૈતિક દાયિત્વ શું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ સલમાન ખાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી ચૂક્યાં છે. સલમાન ખાને ગુજરાતના વિકાસ માટે નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી પરંતુ તેમનું ભાવિ વડાપ્રધાન તરીકે સાર્વજનિક રીતે તેમનું નામ લેવાનું ટાળતાં એટલું કહ્યું હતું કે સર્વશ્રેષ્ઠ વ્યક્તિએ વડાપ્રધાન બનવી જોઇએ.
પોતાની ફિલ્મ 'જય હો'ના પ્રચાર માટે અમદાવાદમાં સલમાન ખાને ઘાટલોડિયામાં મકર સંક્રાંતિના ઉપલક્ષ્યમાં વાર્ષિક પતંગ મહોત્સવમાં નરેન્દ્ર મોદી સાથે ભાગ લીધો હતો અને આ દરમિયાન સંવાદદાતાઓને કહ્યું હતું કે 'ઇશ્વરે નિર્ણય કરવો જોઇએ કે દેશ માટે સર્વશ્રેષ્ઠ વ્યક્તિ કોણ છે અને સર્વશ્રેષ્ઠ વ્યક્તિને વડાપ્રધાન બનવું જોઇએ.' સલમાન ખાને કહ્યું હતું કે હું તેમને (નરેન્દ્ર મોદીને) ખૂબ પસંદ કરું છું. તે સારા વ્યક્તિ છે, તે રાજ્ય માટે ઘણું બધુ કરી શકે છે. હું નરેન્દ્ર મોદી સાહેબને શુભેચ્છાઓ પાઠવું છું.'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
