નરેન્દ્ર મોદીએ પ્રથમવાર કબુલ્યું : "મારી પત્નીનું નામ જશોદાબેન છે"
વડોદરા, 10 એપ્રિલ : ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવારે બુધવારે લોકસભા ચૂંટણી 2014માં વડોદરાથી ઉમેદવારીપત્ર ભરતા સમયે ઇલેક્શન કમિશનને સુપરત કરેલા સોગંદનામામાં જાહેર કર્યું છે કે પોતે પરિણિત છે અને તેમની પત્નીનું નામ જશોદાબેન છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ કોંગ્રેસે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી પોતાના લગ્નજીવનની સ્થિતિ અંગે લોકસભા ચૂંટણી સમયે ખુલાસો કરશે.
નરેન્દ્ર મોદીએ ગુજરાતની 26 લોકસભા બેઠકોમાંથી વડોદરાની બેઠક પસંદ કરી છે કારણ કે તે સૌથી સુરક્ષિત બેઠક માનવામાં આવે છે. વડોદરામાં તેમના હરીફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મદુસુદન મિસ્ત્રી છે.
આ ઉપરાંત નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પરથી પણ ચૂંટણી લડી રહ્યા છે. જેમાં તેમના પ્રતિદ્વંદી 'આપ'ના અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના સ્થાનિક નેતા અજય રાય છે.
નરેન્દ્ર મોદીએ સોગંદનામામાં પોતાની પત્ની વિશે અન્ય શું વિગતો આપી છે તે જાણવા આગળ ક્લિક કરો...

પત્ની હોવાની કબૂલાત
ઉમેદવારીપત્ર સાથે જોડેલા સોગંદનામામાં નરેન્દ્ર મોદીએ સૌપ્રથમવાર જાહેરમાં સ્વીકાર્યું છે કે તેઓ પરિણિત છે. તેમણે તેમની પત્નીનું નામ જશોદાબેન હાવોનું જણાવ્યું છે. તેમણે આ વિગતો જીવનસાથીના ખાનામાં ભરી છે.

અત્યાર સુધી શું કરતા હતા?
અત્યાર સુધી નરેન્દ્ર મોદી પોતાના સોગંદનામામાં સ્પાઉસ એટલે કે જીવનસાથી અંગેની વિગતનું ખાનુ ખાલી રાખતા હતા. તેમણે વિધાનસભા ચૂંટણી 2012માં પણ જીવનસાથીની વિગત અંગેનું ખાનુ ખાલી રાખ્યું હતું.

પત્નીના નામે કેટલી મિલકત?
હવે લોકસભા ચૂંટણી 2014માં તેમણે કબૂલ્યું છે કે તેમને પત્ની છે. ત્યારે બીજી તરફ જ્યાં પત્નીના નામે કેટલી મિલકત છે તે અંગેની વિગતો ભરવાનું જે ખાનુ હતું તેમાં લખ્યું હતું આ અંગે તેમની પાસે કોઇ વિગતો નથી.

નરેન્દ્ર મોદીની વિગતો મોડે સુધી જાહેર ના કરાઇ
નોંધનીય બાબત એ છે કે નરેન્દ્ર મોદીએ પોતાનું ઉમેદવારી પત્ર સવારે ભર્યું હતું તેમ છતાં કલેક્ટર કચેરીમાં તેને છેક મધરાતે જાહેર જનતાને જોવા માટે મૂકવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાતના ચૂંટણી અધિકારીની વેબસાઇટ ઉપર પણ તેમના સોગંદનામા અને ઉમેદવારી પત્રને મોડી રાત સુધી અપલોડ કરવામાં આવી ન હતી.

હવે શું થશે?
લોકસભા ચૂંટણી સમયે નરેન્દ્ર મોદીએ જાહેર કરેલી વિગતો સામે વિપક્ષો કેવી પ્રતિક્રિયા આપે છે તેના પર નરેન્દ્ર મોદીની સાફ છબીનો આધાર રહેલો છે. જો આ મુદ્દો ચગાવવામાં આવશે તો મોદીને નુકસાન થઇ શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
