દેશને મજબૂત સરકારની જરૂર છે, ગુરગાવથી મોદીનું આહ્વાન
ગુરગાવ, 3 એપ્રિલ: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે હરિયાણાના ગુરુગાવમાંથી સભાને સંબોધી રહ્યા છે. નરેન્દ્ર મોદી અહીં લોકોને સંબોધિત કરતા કેન્દ્રની યુપીએ સરકાર પર જોરદાર પ્રહારો કર્યા હતા.
મોદીએ જણાવ્યું કે આટલી બધી ભીડ ઉમડી પડતા એવું લાગી રહ્યું છેકે ચૂંટણી પહેલા જ પરિણામ આવી ગયા છે. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ હરિયાણામાં ખાતુ પણ નહી ખોલાવી શકે. નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર પલટવાર કરતા જણાવ્યું કે શાહજાદેએ જણાવ્યું હતું કે દેશને સવાસો કરોડ ચોકીદારોની જરૂર છે. હું તેમને પૂછવા માંગુ છું કે શું તમારા જીજાજી ચોકીદાર બનશે? જેમણે જમીનો ખાઇ ગયા, જે લોકોએ કોલસાના કૌભાંડ કર્યા તેમને તમે ચોકીદાર બનાવશો. શું દૂધની ચોકીદારી બિલાડીને સોંપી શકાય મિત્રો, કોંગ્રેસને આવી જ બિલાડીઓની જરૂર છે કે જેથી તેમનું કામ પણ ચાલે જાય અને નામ પણ થઇ જાય.
નિર્ભયા બળાત્કાર કેસમાં મોદીએ કેન્દ્ર સરકારને ઉઘાડી પાડી, વાંચો સ્લાઇડરમાં...

કોંગ્રસનું ઘોષણા પત્ર નહીં ધોખા પત્ર છે
મિત્રો અહીં યુવાનો વધારે છે તમે મને કહો કે શું કોંગ્રેસે વચનો આપેલા કે રોજગાર આપીશું શું તમને રોજગાર મળ્યો. એકવાર ફરી આ પાર્ટીએ 2014ની ચૂંટણી માટેનો ચૂંટણી ઢંઢેરા જાહેર કરી દીધો છે. મોદી જણાવ્યું કે કોંગ્રેસનું આ ઘોષણા પત્ર નથી પણ ધોખાપત્ર છે. મિત્રો કોઇ ભૂલ કરે તો તેને માફ કરી શકાય પરંતુ કોઇ જનતા સાથે વિશ્વાસઘાત કરે તો તેને માફ કરી શકાય નહીં.

વીજળીના કારખાના કેમ બંધ છે
આ શાહજાદાજીએ જણાવ્યું કે તેમના મનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મેપ તૈયાર છે. મિત્રો આ લોકોને માત્ર મેપ બનાવવામાં 60 વર્ષ લાગી ગયા તો વિચરો કે તેના અમલને કેટલો સમય લાગશે. એક બાજુ વીજળીના ખારખાના બંધ પડ્યા છે. શું આવી સરકાર તમે જોઇએ છે? આ કારખાના કેમ બંધ છે કારણ કે તેમની પાસે કોલસો નથી, કોલસો કેમ નથી કારણ કે ખોલસાની ખાણમાં કોંગ્રેસ સરકારે તાળા લગાવી દીધા છે. કોલસા ચોરીમાં જ્યારે સુપ્રીમ કોર્ટે ફાઇલો માગી તો સરકારે કહ્યું કે ફાઇલો ખોવાઇ ગઇ છે.

રોબર્ટ વાઢેરાને કહ્યા બાજીગર
મોદીએ નામ લીધા વગર રોબર્ટ વાઢેરા પર પ્રહાર કરતા જણાવ્યું કે શાહજાદેથી હરિયાણાના લોકો જાણવા માગે છે કે એ કોણ બાજીગર છે જેણે ખેડૂતોની જમીન હડપી, લીધી તેની પાસે 50 કરોડ રૂપિયા આવી ગયા. રાહુલજી જણાવે કે તેની સાથે તમારો સંબંધ શું છે.

હું ખાતો નથી અને ખાવા દેતો નથી
મિત્રો દેશમાંથી ભ્રષ્ટાચાર ખતમ કરી શકાય છે. મારો એક જ મંત્ર છે કે હું નથી ખાતો અને નથી ખાવા દેતો. ખુરશી માટે લડનારા લોકો કંઇ નહીં કરી શકે પરંતુ દેશ માટે લડનારા લોકો બધું કરી શકે છે. ઉપરનો માણ જો મજબૂત હોય તો બધું જ થઇ શકે છે.

દેશને નવી દિશાની જરૂર છે
મિત્રો મનમોહનની સરકારને, હુડાજીની સરકારને દસ વર્ષ થઇ ગયા, શું આપના જીવનમાં દસ વર્ષ કોઇ પરિવર્તન આવ્યું છે? આ વખતે હરિયાણા સંપૂર્ણ તાકત બતાવી દે અને દેશને નવી દિશા બતાવે. આપણને જે દિલ્હી પર ગર્વ હતું તે દિલ્હી હવે બળાત્કારની નગરી બની ગયું છે. અને નેતાઓ એમ કહે છે કે 8 વાગ્યા પછી બાદ

નિર્ભયાકાંડ પર મોદીએ કહ્યું..
જ્યારે દિલ્હીમાં નિર્ભયા પર બળાત્કાર થયો, તેની હત્યા કરી દેવામાં આવી, આખા દેશનું ખૂન ઉકળી ઊઠ્યું, તમામ લોકોએ જોરદાર વિરોધ કર્યો, છતાં લોકો પર પોલીસના ડંડાવાળી કરી, વોટર કેનનથી પાણીનો મારો કર્યો. ત્યારબાદ કેન્દ્ર સરકાર માતા બહેનોની સુરક્ષા અને મદદ માટે 1 હજાર કરોડનું ફંડ જાહેર કર્યું હતું. પરંતુ દુ:ખની સાથે કહેવું પડે છે આ સરકારે તેમાંથી એક રૂપિયો પણ વાપર્યો નથી.

300 વધારે કમળ દિલ્હી મોકલો...
આપ 300થી વધારે કમળને જીતાડીને દિલ્હીમાં મોકલો હું તમારા સપના પૂરા કરીશ. તમે શાસકને 60 વર્ષ આપ્યા છે તમે માત્ર 60 મહિના આ સેવકને આપો. હું તમારા સપના પુરા કરીશ એ મારો સંકલ્પ છે.

કોંગ્રસનું ઘોષણા પત્ર નહીં ધોખા પત્ર છે
મિત્રો અહીં યુવાનો વધારે છે તમે મને કહો કે શું કોંગ્રેસે વચનો આપેલા કે રોજગાર આપીશું શું તમને રોજગાર મળ્યો. એકવાર ફરી આ પાર્ટીએ 2014ની ચૂંટણી માટેનો ચૂંટણી ઢંઢેરા જાહેર કરી દીધો છે. મોદી જણાવ્યું કે કોંગ્રેસનું આ ઘોષણા પત્ર નથી પણ ધોખાપત્ર છે. મિત્રો કોઇ ભૂલ કરે તો તેને માફ કરી શકાય પરંતુ કોઇ જનતા સાથે વિશ્વાસઘાત કરે તો તેને માફ કરી શકાય નહીં.

વીજળીના કારખાના કેમ બંધ છે
આ શાહજાદાજીએ જણાવ્યું કે તેમના મનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મેપ તૈયાર છે. મિત્રો આ લોકોને માત્ર મેપ બનાવવામાં 60 વર્ષ લાગી ગયા તો વિચરો કે તેના અમલને કેટલો સમય લાગશે. એક બાજુ વીજળીના ખારખાના બંધ પડ્યા છે. શું આવી સરકાર તમે જોઇએ છે? આ કારખાના કેમ બંધ છે કારણ કે તેમની પાસે કોલસો નથી, કોલસો કેમ નથી કારણ કે ખોલસાની ખાણમાં કોંગ્રેસ સરકારે તાળા લગાવી દીધા છે. કોલસા ચોરીમાં જ્યારે સુપ્રીમ કોર્ટે ફાઇલો માગી તો સરકારે કહ્યું કે ફાઇલો ખોવાઇ ગઇ છે.

રોબર્ટ વાઢેરાને કહ્યા બાજીગર
મોદીએ નામ લીધા વગર રોબર્ટ વાઢેરા પર પ્રહાર કરતા જણાવ્યું કે શાહજાદેથી હરિયાણાના લોકો જાણવા માગે છે કે એ કોણ બાજીગર છે જેણે ખેડૂતોની જમીન હડપી, લીધી તેની પાસે 50 કરોડ રૂપિયા આવી ગયા. રાહુલજી જણાવે કે તેની સાથે તમારો સંબંધ શું છે.
દેશને મજબૂત સરકારની જરૂર છે, ગુરગાવથી મોદીનું આહ્વાન
દેશને મજબૂત સરકારની જરૂર છે, ગુરગાવથી મોદીનું આહ્વાન
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
