નારાયણ રાણેએ આદીત્ય ઠાકરેને ગણાવ્યા સુશાંત સિંહ રાજપુતના હત્યારા, કહ્યું- મે સાબુત પણ આપ્યા છે
સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે પર નિશાન સાધ્યું છે. તેણે કહ્યું છે કે સુશાંતની હત્યા કરવામાં આવી હતી અને તેની પૂર્વ મેનેજર દિશા સલ
સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે પર નિશાન સાધ્યું છે. તેણે કહ્યું છે કે સુશાંતની હત્યા કરવામાં આવી હતી અને તેની પૂર્વ મેનેજર દિશા સલિયનને પણ બિલ્ડિંગની છત પરથી ધકેલી દેવામાં આવી હતી. નારાયણ રાણેએ આદિત્ય ઠાકરે પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, મેં પોતે પુરાવા આપ્યા છે કે સુશાંત સિંહ રાજપૂતની તેના બાથરૂમમાં હત્યા કરવામાં આવી હતી. મેં હત્યામાં સંડોવાયેલા લોકોના નામનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ તે મુખ્ય પ્રધાનનો પુત્ર હોવાથી કોઈ ધરપકડ કરવામાં આવી નથી. દિશા સાલિયાનના કેસમાં પણ કોઈ ધરપકડ થઈ નથી.

નારાયણ રાણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે બોલી રહ્યા હતા
નારાયણ રાણે દિશા સાલિયાન અને પૂજા ચવ્હાણના મૃત્યુના કેસને ટાંકીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ટિપ્પણી કરી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે પૂણેની વિદ્યાર્થીની પૂજા ચવ્હાણે કથિત રીતે આત્મહત્યા કરી હતી. આ કેસમાં મહારાષ્ટ્રના પૂર્વ કેબિનેટ મંત્રી સંજય રાઠોડની તપાસ ચાલી રહી છે. આ અંગે નારાયણ રાણેએ કહ્યું કે સુશાંત સિંહ રાજપૂત અને તેની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મૃત્યુ પાછળ આદિત્ય ઠાકરેનો હાથ છે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે હજુ કેટલી હત્યાઓ છુપાવશે?
નારાયણ રાણેએ કહ્યું કે દિશાની પણ હત્યા થઈ હતી અને સુશાંત તેનો મિત્ર હતો. સુશાંત જાણતો હતો કે તેના ભૂતપૂર્વ મેનેજરની હત્યા કરવામાં આવી હતી અને તેણે તેને છુપાવવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં તેની પણ હત્યા કરવામાં આવી હતી. રાણેએ કહ્યું કે જે રીતે ઉદ્ધવ સરકારે આદિત્ય ઠાકરેને બચાવ્યા છે તેમ સંજય રાઠોડને પણ સરકારે બચાવ્યા છે. હજુ કેટલી હત્યાઓ છુપાવશે? કાયદો અને વ્યવસ્થામાં મહારાષ્ટ્ર પાછળ છે અને તેથી જ રાજ્ય વિકાસની બાબતમાં 10 વર્ષ પાછળ ગયું છે.

સીબીઆઈની તપાસમાં આદિત્યનું નામ ક્યાંય આવ્યું નથી
તમને જણાવી દઈએ કે નારાયણ રાણેએ આ પહેલા આદિત્ય ઠાકરે પર સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે કનેક્શન હોવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે આદિત્ય ઠાકરેએ આ કેસ સાથે કોઈ સંબંધનો ઇનકાર કર્યો હતો, ત્યારે સીબીઆઈને પણ તેની તપાસમાં મંત્રી વિરુદ્ધ કંઈ મળ્યું નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
