મુલાયમ: મારી પાસે બહુ ઓછા MLA, સપા કાર્યાલય પર લાગાવ્યા તાળા
મુલાયમ સિંહ બોલ્યા મારી પાસે બહુ ઓછા MLA, સપા કાર્યાલયમાં તાળા મારી દિલ્હી રવાના, કરી શકે છે ચૂંટણી આયોગ સાથે મુલાકાત...
સમાજવાદી પક્ષની અંદર ચાલી રહેલ વિવાદ વચ્ચે મુલાયમ સિંહે ફરીથી આ વિવાદથી પરે નિવેદન આપતા અખિલેશ યાદવનો બચાવ કર્યો. દિલ્હી રવાના થતા પહેલા મુલાયમે કાર્યકર્તાઓને કહ્યુ કે કોઇ પ્રકારનો વિવાદ જ નથી તો સમજૂતી કઇ વાતની થશે. તેમણે કહ્યુ કે અખિલેશ મારો દીકરો છે અને તે જે કરી રહ્યો છે તે બરાબર કરી રહ્યો છે. મુલાયમના આ નિવેદન બાદ માનવામાં આવી રહ્યુ છે કે તે ફરીથી એક વાર સપાની અંદર મચેલા ઘમાસાણને ખતમ કરવા માંગે છે. આના માટે તે અખિલેશ સાથે ચાલી રહેલ તનાવને ઓછો કરવાનો રસ્તો શોધી રહ્યા છે.

સપા કાર્યાલયમાં લગાવ્યા તાળા
મુલાયમ સિંહે સપા કાર્યાલય છોડતા પહેલા અખિલેશ યાદવના નામની રાષ્ટ્રીય અધ્યક્ષની નેમ પ્લેટ અને પ્રદેશ અધ્યક્ષની નેમ પ્લેટને હટાવડાવી અને તેની જગ્યાએ પોતાના નામ અને શિવપાલ યાદવની નેમ પ્લેટ લગાવડાવી. દિલ્હી રવાના થતા પહેલા મુલાયમે પક્ષના કાર્યાલયમાં તાળા લગાવડાવી દીધા અને ચાવીઓ પોતાની સાથે લઇને કાર્યાલયમાંથી નીકળી ગયા. પરંતુ અહીં જોવાની વાત એ છે કે જ્યારે મુલાયમ સિંહ સપા કાર્યાલયમાં તાળા લગાવડાવી રહ્યા હતા ત્યારે બહાર અખિલેશ યાદવના સમર્થકો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.
કાલે થશે ચૂંટણી આયોગ સાથે મુલાકાત
તમને જણાવી દઇએ કે ચૂંટણી આયોગે સપાની અંદરના ઘમાસાણ પર બંને સમૂહોને પાર્ટીની માલિકી અને ચૂંટણી ચિહન પર દાવાને લઇને 9 જાન્યુઆરીએ પોતાનો જવાબ આપવાનું કહ્યુ છે. એક તરફ જ્યાં અખિલેશે તમામ સપા એમએલએ, સાંસદો અને વિધાન પરિષદના સભ્યોની એફિડેવિટ આયોગને સોંપીને પક્ષ પર પોતાનો દાવો કર્યો છે. તો બીજી તરફ મુલાયમ સિંહ અમર સિંહ અને શિવપાલ સાથે મળીને સોમવારે ચૂંટણી આયોગ સાથે મુલાકાત કરી શકે છે. પરંતુ અહીં એ જોવાનું રસપ્રદ રહેશે કે એક તરફ જ્યાં 90% લોકોનું સમર્થન અખિલેશના પક્ષમાં બતાવીને રામગોપાલ યાદવ પહેલા જ પક્ષ પર પોતાનો દાવો કરી ચૂક્યા છે તો મુલાયમ ગ્રુપ કેવી રીતે પોતાનો દાવો મજબૂત કરે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
