મોદીની પાઠશાળા: છ મહિનામાં વિકાસનો રોડમેપ તૈયાર કરે સાંસદ
નવી દિલ્હી, 28 જૂન: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને અડીને આવેલા ફરીદાબાદના સૂરજકુંડમાં વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પાઠશાળા શરૂ થઇ ગઇ છે. નરેન્દ્ર મોદીએ દીપ પ્રગટાવી કાર્યક્રમનું ઉદઘાટન કર્યું. સંસદીય તથા લોક વ્યવહાર, મીડિયા મેનેજમેન્ટ અને સોશિયલ મીડિયાને લઇને ભાજપે પ્રથમવાર પસંદ કરવામાં આવેલા પાર્ટીના લગભગ 195 સાંસદોને ટ્રેનિંગ આપ્વા માટે બે દિવસીય ઓરિએટેંશન કાર્યક્રમનું આયોજન કર્યું છે. સૂરજકુંડના હોટલ રાજહંસમાં પાઠશાળાના ઉદઘાટન સત્ર ને સંબોધિત કરતાં વડાપ્રધાનમંત્રીએ સાંસદોને સલાહ પણ આપી, ચેતાવણી અને સલાહ આપી. સાંસદોને નમોમંત્રમાં વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નિમ્ન પ્રમુખ બિંદુઓ પર પોતાને કેન્દ્રિંત કરવા માટે કહ્યું.
1. છ મહીનામાં વિકાસનો રોડમેપ તૈયાર કરો.
2. પોત-પોતાના ક્ષેત્રના વિકાસ પર ધ્યાન આપે સાંસદ.
3. ટ્રેનિંગના સમાચાર લીક ન કરે સાંસદ.
4. ટ્રાંસફર-પોસ્ટિંગની ભલામણથી બચે સાંસદ.
5. વિધાનસભા ચૂંટણીમાં પણ લોકસભા જેવું પ્રદર્શન કરવું છે.
6. સંસદીય આચરણનું પાલન કરે બધા સાંસદો.
આ દરમિયાન ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ મંચ પર હાજર રહે. આ ટ્રેનિંગ સત્રની ખાસ વાત એ છે કે પ્રથમવાર સાંસદ બનેલા નરેન્દ્ર મોદીએ પહેલીવાર સાંસદ બનેલા 195 ભાજપ નેતાઓને નમો મંત્ર આપ્યો. નવા ચૂંટાયેલા ભાજપ સાંસદોમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના લગભગ 40 સાંસદ છે જ્યારે લગભગ 30 મહિલાઓ એવી છે જે પહેલીવાર સાંસદ બની છે.
ભાજપના ટોચના નેતા તથા અનુભવી સાંસદ પહેલીવાર સાંસદ બનેલા નેતાઓને ટ્રેનિંગ આપશે. પ્રમુખ વક્તા નેતાઓમાં અરૂણ જેટલી અને લાલકૃષ્ણ અડવાણી પણ સામેલ છે.
બે દિવસના આ કાર્યક્રમમાં સાંસદોને એ પણ જણાવવામાં આવશે કે તે સાંસદ સ્થાનિય ક્ષેત્ર વિકાસ ભંડોળ હેઠળ આપવામાં આવતી રકમનો ઉપયોગ જનહિતમાં કેવી કરે. આગામી 7 જૂલાઇથી શરૂ થનાર સંસદ બજેટ સત્રથી પહેલાં આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પાર્ટીના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી રવિવારે સમાપન સમારોહને સંબોધિત કરશે.
બે દિવસના કાર્યકાળમાં કુલ 11 સત્ર હશે જેને વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી રજનાથ સિંહ, વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને લાલકૃષ્ણ અડવાણી જેવા વરિષ્ઠ નેતા સંબોધિત કરશે. ભાજપની આ ખાસ કાર્યશાળામાં ભાગ લેનાર બધા સાંસદોએ એક-એક હજાર રૂપિયાનો ચાર્જ પણ લેવામાં આવ્યો છે. આ ટ્રેનિંગ કેમ્પમાં રહેવા અને ખાવા-પીવાની ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ જમવાનું શાકાહારી જ મળશે.

આ બિંદુઓ પર મૂક્યો ભાર
પોતાના મતવિસ્તારમાં જનહિતના કામ કરે. પાર્ટીના સંદેશોને આમ પ્રજા સુધી પહોંચાડવા માટે મીડિયા, ખાસ કરીને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે

આ બિંદુઓ પર મૂક્યો ભાર
સંસદીય પ્રક્રિયાઓ સંબંધી પુસ્તકને ભગવત ગીતાની માફક લે તથા સદનના પીઠાસીન સભાપતિની પરવાનગીના કશું ન કરે.

આ બિંદુઓ પર મૂક્યો ભાર
સારી સંસદીય પદ્ધતિઓ અને સારા સાર્વજનિક જીવનને જીવે.

આ બિંદુઓ પર મૂક્યો ભાર
જો કોઇપણ સમસ્યા હોય તો સીધો મારી સાથે સંપર્ક કરે તથા મીડિયા સાથે ચર્ચા કરવામાં સમય વિતાવવાના બદલે જનતા સાથે સંવાદ કરે.

આ બિંદુઓ પર મૂક્યો ભાર
બધી સાંસદ પોતાના માટે કોઇ એક વિષય પસંદ કરે અને તેના પર અધ્યન કરે.

આ બિંદુઓ પર મૂક્યો ભાર
ભ્રષ્ટાચાર અને અહંકારથી દૂરી બનાવે આપણે સરકારના સારા કામોની સૂચના જનતા સુધી પહોંચાડવાની છે.

આ બિંદુઓ પર મૂક્યો ભાર
સાંસદ રાજ્યોના વિધાનસભા ચૂંટણી માટે તૈયાર રહે.

આ બિંદુઓ પર મૂક્યો ભાર
ક્ષેત્રના વિકાસ પર ધ્યાન આપે, ટ્રેનિંગના કોઇ સમાચાર લીક ના કરે.

આ બિંદુઓ પર મૂક્યો ભાર
સાંસદ હોવું મહત્વપૂર્ણ વાત છે, લોકોની અપેક્ષાઓ તમારી સાથે જોડાયેલી હોય છે. સદનમાં પરંતુ સદનની બહાર પણ તમારા વ્યવહાર પર બધાની નજર રહે છે.

આ બિંદુઓ પર મૂક્યો ભાર
મિશન અને વિઝનની સાથે કામ કરે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
