બાગપતની રેલીમાં મોદી આકરા પાણીએ, અજિત પર વરસ્યા
બાગપત, 29 માર્ચ: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના બાગપતમાં ભારત વિજય રેલીમાં કેન્દ્ર સરકાર પર વરસ્યા હતા તથા કોંગ્રેસ મુક્ત ભારતનું જનતાને આહવાન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ બાગપતને વીરોની ભૂમિ ગણાવતાં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ સરકારના રહેતાં દેશમાં જવાનોને સન્માન મળ્યું નથી. સેનામાં એક રેંક અને પેંશનનો મુદ્દો હજીસુધી ઉકેલાયો નથી.
દેશની રક્ષા કરનારાઓની દેશમાં રક્ષા થઇ રહી નથી. પડોશી દેશ પાકિસ્તાન જવાનોના માથા કાપી લે છે. આ સરકાર શું કરે છે? એકદમ સ્નેહ સાથે પાકિસ્તાનના વડાપ્રધાનને ચિકન બિરયાની ખવડાવીને સ્વાગત કરવામાં આવે છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સમય બદલાઇ રહ્યો છે, 1857માં કમળ અને રોટીનો નારો હતો પરંતુ હવે 2014 કમળ અને મોદી નારો છે. સમયની માંગ છે, કોંગ્રેસ મુક્ત ભારત બનાવવું છે.
નરેન્દ્ર મોદીએ પૂર્વ ખેડૂત નેતા ચૌધરી ચરણ સિંહને યાદ કર્યા અને તેમના પુત્ર અજિત સિંહ પર નિશાન તાકતાં કહ્યું હતું કે પૂર્વ ખેડૂત નેતા ચૌધરી ચરણ સિંહે ખેડૂતો માટે લડાઇ લડતા રહ્યાં. કોંગ્રેસ પણ છોડી દિધી. પરંતુ પુત્રએ સત્તા સુખ માટે પિતાના આદર્શોને છોડી દિધા. પિતાને પરેશાન કરનાર પાર્ટીના ખોળામાં પુત્ર બેસી જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે અજિત સિંહ યુપીએ સરકારમાં મંત્રી હતા.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ખેડૂતોની દશા માટે કોંગ્રેસ જવાબદાર છે. ખેડૂતોને શેરડીના પૈસા મળતા નથી. દેશનું પેટ ભરનાર આજે ભૂખે મરે છે. હું પૂછું છું કે કોણ દેશની ખાંડ ચાવી ગયું? ખેડૂતો કેમ પરેશાન છે? તે કોઇ જવાબ આપતું નથી.
નરેન્દ્ર મોદીએ દેશનું દુર્ભાગ્ય છે કે શહીદ જવાનો કરતાં ખેડૂતોની આત્મહત્યાના કિસ્સા છે. જય જવાન જય કિસાન નારો હવે મર જવાન મર કિસાન થઇ ગયો છે. કોંગ્રેસના લીધે સેનાનું મનોબળ તૂટી રહ્યું છે. કોંગ્રેસે ખેડૂતોને દયનીય બનાવી દિધા છે.
નરેન્દ્ર મોદીએ લોકોને આહવાન કરતાં કહ્યું હતું કે દિલ્હીમાં તો ભાજપ અને સહયોગીઓની સરકાર બનવાની છે. તમને અપીલ કરું છું કે જેના પર વિશ્વાસ ન હોય તેમના વિશ્વાસે દેશ આપશો નહી. મારે તો દેશ માટે જીવવું મરવું છે એટલે બાગપતમાં મારે કમળ જોઇએ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
