બેનિયાબાગમાં રેલીની મંજૂરી નહીં, સત્યાગ્રહ કરશે ભાજપ
વારાણસી, 8 મેઃ ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની બેનિયાબાગની રેલીને અનુમતિ નહીં આપવામાં આવતા રાજકારણ ગરમાયું છે. ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીએ વારાણસીના નિર્વાચન અધિકારીની નિષ્પક્ષતા પર પ્રશ્નાર્થ કરતા કહ્યું છેકે બેનિયાબાગમાં મોદીની રેલીને અનુમતિ નહીં આપવા વિરુદ્ધ તેઓ અને અમિત શાહ ગુરુવારે બીએચયુ બહાર ધરણા પર બેસશે અને સત્યાગ્રહ કરશે, બીજી તરફ દિલ્હીમાં હર્ષવર્ધન સહિતના ભાજપી નેતાઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવશે.

અરૂણ જેટલીએ કહ્યું કે, રિટર્નિંગ અધિકારી રાજકીય કારણોથી પ્રેરિત થઇને નિષ્પક્ષ કાર્યવાહી કરી રહ્યાં નથી અને મુખ્ય ચૂંટણી અધિકારી તેના પર મુક દર્શન બની જાય એ મને આશ્ચર્ય પમાડે છે. મેં આ મામલે મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખ્યો છે. જેટલીએ ચૂંટણી પંચને રિટર્નિંગ અધિકારીને તત્કાળ હટાવવાની માંગ કરી છે. સુરક્ષાના ખોટા કારણોનો હવાલો આપીને મોદીની રહેલી રોકવામાં આવી રહીછે. મે ચૂંઠણી પંચને ત્રણ પત્રો લખ્યાં છે પરંતુ તેમના તરફથી એકપણ પત્રનો જવાબ આપવામા આવ્યો નથી.
જેટલીએ આરોપ લગાવ્યો છેકે વારાણસી લોકસભા બેઠકથી ચૂંટણી અધિકારી તરીકે કામ કરનારા ડીએમ રેલી માટે સુરક્ષા મંજૂરી આપવાના સંદર્ભમાં અવિશ્વસનીયતાનું બહાનું બનાવી રહ્યાં છે. રેલી કોઇપણ ઉમેદવારનો અધિકાર છે. જેટલીએ આરોપ મુક્યો છેકે વારાણસીમા મતદાનની ટકાવારી ઓછી કરવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. લોકો સુધી ચૂંટણી પંચના પર્ચા પહોંચ્યા નથી. એટલું જ નહીં પર્ચા વેંચવાને લઇને ભાજપ કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે.
જેટલીએ કહ્યું કે, તેઓ ગુરુવારે સવારે 11 વાગ્યે અમિત શાહ સાથે બીએચયુ પાસે લંકા ગેટ પર ધરણા પર બેસશે અને વિરોધ પ્રદર્શન કરશે. સાથે જ તેમણે કહ્યું કે, દિલ્હીમાં ચૂંટણી પંચના કાર્યાલયની બહાર ભાજપનું દિલ્હી યુનિટ પ્રદર્શન કરશે. જેટલીએ કહ્યું કે, વારાણસીમાં મોદીની રેલીને અનુમતિ નથી આપવામાં આવી. તેવામાં મોદીનું હેલિકોપ્ટર બીએચયુ સ્થિત હેલીપેડ પર ઉતરશે. ત્યારબાદ મોદી શહેર સ્થિત ભાજપના ચૂંટણી કાર્યાલયે જશે. નોંધનીય છેકે, મોદીનો શુક્રવારે સાંજે બેનિયાબાગમાં ચૂંટણી રેલીને સંબોધિત કરવાનો કાર્યક્રમ છે. આ પહેલા તે વારાણસીના ગ્રામિણ વિસ્તાર રોહાનિયામાં એક રેલીને સંબોધિત કરશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
