નરેન્દ્ર મોદીએ રાજીવ ગાંધીને અર્પિત કરી શ્રદ્ધાંજલિ
નવી દિલ્હી, 21 મે: ભારતીય જનતા પાર્ટીના સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદીએ આજે દેશના પૂર્વ વડાપ્રધાનમંત્રી રાજીવ ગાંધીની 23મી પુણ્યતિથિ પર માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપી. નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર લખ્યું, કે પૂર્વ વડાપ્રધાનમંત્રી રાજીવ ગાંધીને તેમની પુણ્યતિથિ પર મારી શ્રદ્ધાંજલિ. રાજીવ ગાંધીએ 31 ઓક્ટોમ્બર 1984થી બે ડિસેમ્બર, 1989ની વચ્ચે દેશના છઠ્ઠા વડાપ્રધાનમંત્રીના રૂપમાં સેવા આપી હતી.
આજે સવારે રાજીવ ગાંધીની પુણ્યતિથિના અવસર પર સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા સહિત આખા પરિવારે તેમને શ્રદ્ધાંજલિ આપી. આ અવસર પર રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ઉપ રાષ્ટ્રપતિ હામિદ અંસારી અને વડાપ્રધાન મનમોહન સિંહ સહિત ઘણા નેતાઓએ રાજીવ ગાંધીને યાદ કર્યા.
21 મેના રોજ એક તરફ જ્યાં દેશ પૂર્વ વડાપ્રધાનમંત્રી રાજીવ ગાંધીની તાજપોશીનો જશ્ન મનાવવા જઇ રહ્યો છે. લોકસભા ચૂંટણીના પરિણામોથી ઉત્સાહિત ભાજપમાં જશ્નનો દૌર ચાલી રહ્યો છે. હવે આખો દેશ નરેન્દ્ર મોદીની તરફ એ આશા સાથે જોઇ રહ્યો છે સારા દિવસો આવવાના છે. 21 મે 1991ના રોજ રાજીવ ગાંધીનું એક હુમલામાં મોત નિપજ્યું હતું. રાજીવ ગાંધીના નિધન બાદ દેશના એક દેશના એક એવા નેતા ગુમાવી દિધા છે, જે આગામી વર્ષોમાં દેશની સૂરત બદલનાર હતા.
અત્રે ઉલ્લેખનીય છે લોકસભા ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદી અવાર નવાર ગાંધી પરિવાર પર શાબ્દિક પ્રહાર કરતાં રહ્યાં છે. જેમાં ઘણીવાર રાજીવ ગાંધીને લઇને પ્રહાર કરી ચૂક્યાં છે. પરંતુ આજે તેમની પુણ્યતિથિના અવસર પર માઇક્રોબ્લોગિંગ સાઇટના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

નલિનીની આ મુલાકાત ભારે પડી
પૂર્વ વડાપ્રધાન મંત્રી રાજીવ ગાંધીની આજે 21 મેના રોજ 23મી પુણ્યતિથિ છે.

ભારતના પૂર્વ વડાપ્રધાનમંત્રી રાજીવ ગાંધી
રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગષ્ટ, 1944ના રોજ થયો હતો, ઇન્દિરા ગાંધીના પુત્ર રાજીવ ગાંધી 31 ઓક્ટોબર 1984 થી 2 ડિસેમ્બર 1989 સુધી ભારતના વડાપ્રધાન રહ્યા.

રાજીવ ગાંધીના લગ્ન એન્ટોનિયા મૈનો સાથે થયા હતા
નાગરિક હતી. રાજીવ ગાંધી સાથે સોનિયા ગાંધી લગ્ન 1968માં થયા ત્યારબાદ તે ભારતમાં રહેવા લાગી. રાજીવ તથા સોનિયા ગાંધીના બે બાળકો છે. તેમની પુત્રી પ્રિયંકા વાઢેરા જ્યારે પુત્ર રાહુલ ગાંધી છે જે એક લોકપ્રિય સાંસદ અને યુવા નેતા તથા ભાવિ વડાપ્રધાનમંત્રી છે.

રાજીવ ગાંધીનું અદભૂત જીવન
રાજીવ ગાંધીનું જીવન રાજકીય, પ્રેમ અને પરિવારથી ભરેલું હતું.

માનવ બોમ્બથી થયો રાજીવ ગાંધી પર હુમલો
દિવંગત રાજીવ ગાંધીનો મુખાગ્નિ આપતાં તેમના પુત્ર રાહુલ ગાંધી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
