મોદી નંબર વન અને હું નંબર 3: શિવરાજ સિંહ ચૌહાણ
નવી દિલ્હી, 3 જૂનઃ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સ્પષ્ટ કર્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી નંબર વન મુખ્યમંત્રી છે. છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહ નંબર બે પર છે જ્યારે તેઓ ત્રીજા નંબરના મુખ્યમંત્રી છે. શિવરાજે કહ્યું કે મોદી મારા મોટા ભાઇ સમાન છે અને અડવાણીના નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવવો જોઇએ નહીં.
તેમણે ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીના એ નિવેદન પર સ્પષ્ટતા આપતા કહ્યું છે, જેમાં અડવાણીએ થોડા દિવસ પહેલા શિવરાજ સિંહ ચૌહાણને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કરતા સારા મુખ્યમંત્રી ગણાવ્યા હતા.
નોંધનીય છે કે, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપપ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની તુલના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયી સાથે કરી દીધી હતી. અડવાણીએ નરેન્દ્ર મોદીની તુલના શિવરાજ સિંહ ચૌહાણ સાથે કરતા કહ્યું હતું કે જ્યાં મોદીએ પહેલાથી મજબૂત ગુજરાતને સારુ બનાવી દીધું છે, ત્યાં શિવરાજે બીમાર મધ્યપ્રદેશને નવી કક્ષાએ પહોંચાડ્યું છે.

મોદી મારા મોટા ભાઇ સમાન
શિવરાજ સિંહ ચૌહાણે અડવાણી દ્વારા જે તુલના કરવામાં આવી અને તેને લઇને જે વિવાદ શરૂ થયો તે અંગે સ્પષ્ટતા આપતા કહ્યું છે કે, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મારા મોટા ભાઇ સમાન છે.

હું તો નંબર ત્રણનો મુખ્યમંત્રી છુ
શિવારજ સિંહે કહ્યું કે, નરેન્દ્ર મોદી પહેલા નંબરના, રમણસિંહ બીજા નંબરના અને તેમના પછી હું ત્રીજા નંબરનો મુખ્યમંત્રી છું. અડવાણીજીએ અમારી પાર્ટીના મુખ્યમંત્રીઓ દ્વારા જે વિકાસલક્ષી કાર્ય કરવામાં આવ્યા તે અંગે જણાવ્યું હતું અને તેમા પહેલા મોદી પછી રમણસિંહ અને ત્યારબાદ મારું નામ લેવામાં આવ્યું હતું.

અડવાણીની આ તુલનાથી થયો વિવાદ
મધ્યપ્રદેશમાં એક કાર્યક્રમ દરમિયાન અડવાણી પોતાની પાર્ટીના ત્રણ મુખ્યમંત્રીઓ દ્વારા કરવામાં આવેલા વિકાસની વાતો કરી રહ્યાં હતા, જેમાં તેમણે નરેન્દ્ર મોદીની તુલના શિવરાજ સિંહ ચૌહાણ સાથે કરતા કહ્યું હતું કે જ્યાં મોદીએ પહેલાથી મજબૂત ગુજરાતને સારુ બનાવી દીધું છે, ત્યાં શિવરાજે બીમાર મધ્યપ્રદેશને નવી કક્ષાએ પહોંચાડ્યું છે.

શિવરાજે કરવી પડી સ્પષ્ટતા
ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીના એ નિવેદન પર સ્પષ્ટતા આપતા કહ્યું છે, જેમાં અડવાણીએ થોડા દિવસ પહેલા શિવરાજ સિંહ ચૌહાણને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કરતા સારા મુખ્યમંત્રી ગણાવ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
