PM મોદીની વિશ્વાસનીયતા પર સવાલ ઊભો થયો છે: રાહુલ ગાંધી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી રાહુલ ગાંધીએ મીડિયાને સંબોધિત કરીને ગુજરાત વિધાનસભાના પરિણામ અને પીએમ નરેન્દ્ર મોદી તથા ગુજરાતમાં ગુજરાતીઓથી મળેલા પ્રેમ અંગે શું કહ્યું જાણો અહીં.
દિલ્હી, મંગળવારે રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી મીડિયા સાથે પહેલી વાર વાતચીત કરી હતી. નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી કોંગ્રેસના નવા અધ્યક્ષ તેવા રાહુલ ગાંધી ટ્વિટ કરીને પોતાની હાર સ્વીકારી હતી. અને ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો. ત્યારે આજે રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે "3-4 મહિના પહેલા હું જ્યારે ગુજરાત ગયો ત્યારે મને કહેવાતું હતું કે કોંગ્રેસ ભાજપને નહીં હરાવી શકે, 3-4 મહિના પછી અમારી મહેનતથી અમે પરિણામો લાવી ભાજપને હચમચાવી મૂકી" તેમણે સાથે જ કહ્યું કે આ વાત "મોદીજીના વિશ્વાસનીયતા પર સવાલ ઊભા કરે છે. મોદીની હવે વિશ્વાસનીયતાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે." વધુમાં ગુજરાતના મોદી મોડલ પર બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે "ગુજરાતના લોકોએ મોદીજીના મોડેલને અપ્રૂવ નથી કર્યું, તેનું માર્કેટિંગ, પ્રોપોગેન્ડા બહુ સારું છે પણ તે અંદરથી ખોખલું છે. તે અમારા અભિયાન વખતેના સવાલોના જવાબ ના આપી શક્યા"

વધુમાં હાર પર બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે અમારા માટે પૂરતું છે કે અમારું સારુ પરિણામ આવ્યું. ભલે હાર ગયા, જીતી પણ ગયા હોત પણ થોડી કમી રહી ગઇ. વધુમાં ગુજરાતની જનતા પર બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાતના લોકોએ મને ખૂબ જ પ્રેમ આપ્યો છે. અને સૌથી મોટી વાત એ શીખવી છે કે ભલે તમે લડાઇમાં કોઇનાથી કેટલાય ગુસ્સે કેમ ના હોય તેમ તેને પ્રેમથી બરાબરથી ટક્કર આપી શકો છો. નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 22 વર્ષોમાં પહેલી વાર સૌથી વધુ સીટ 77 સીટો મેળવી શક્યું છે. અને એક સબળ વિપક્ષના રૂપમાં સામે આવ્યું છે. વધુમાં રાહુલ ગાંધીએ પણ ગુજરાતના લોકોના મનમાં ખાસ જગ્યા બનાવવામાં સફળતા મળી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
