જીગ્નેશ સાથે મળીને દલિત રાજનીતિને નવી દિશા આપી શકે છે રાવણ
ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખર આઝાદ ઉર્ફ રાવણને આ અઠવાડિયે યુપીની યોગી સરકારે આઝાદ કરી દીધો છે.
ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખર આઝાદ ઉર્ફ રાવણને આ અઠવાડિયે યુપીની યોગી સરકારે આઝાદ કરી દીધો છે. રાવણના આઝાદ થવાથી ઘણા પોલિટિકલ એંગલ કાઢવામાં આવી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ગુજરાતના દલિત નેતા જીગ્નેશ મેવાની અને ચંદ્રશેખર આઝાદ ભેગા મળીને ઉત્તરપ્રદેશમાં દલિત રાજનીતિને નવી દિશા આપી શકે છે. જીગ્નેશ મેવાની છેલ્લા કેટલાક સમયથી રાવણના સમર્થનમાં સક્રિય રહ્યા હતા. તેઓ સહારનપુર પણ ઘણીવાર જઈ ચુક્યા છે.

દલિત રાજનીતિ તરીકે એક નવો વિકલ્પ
માનવામાં આવી રહ્યું છે કે રાવણના આઝાદ થયાની સાથે ઉત્તરપ્રદેશમાં ગુજરાતના દલિત નેતા જીગ્નેશ મેવાનીની સક્રિયતા વધશે. જીગ્નેશ મેવાની પહેલાથી જ રાવણને લોકસભા ચૂંટણી લડવાનું કહી ચુક્યા છે. રાવણ પણ જેલથી આઝાદ થઇ ચુક્યો છે અને તેઓ જીગ્નેશ મેવાની સાથે મળીને ઉત્તરપ્રદેશમાં દલિત રાજનીતિ તરીકે એક નવો વિકલ્પ તરીકે ઉભરી રહ્યો છે. હાલમાં બંને યુવા નેતાઓનું ફોકસ પશ્ચિમ ઉત્તરપ્રદેશ પર છે.

બીજેપી પર જોરદાર પ્રહાર
બીજી બાજુ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ જીગ્નેશ મેવાની ઘ્વારા ચંદ્રશેખરને પોતાના પક્ષમાં શામિલ કરવા માટે પ્રત્યન કરી રહ્યું છે શુક્રવારે રાત્રે જેલથી બહાર આવેલા રાવણે બીજેપી પર જોરદાર પ્રહાર કર્યા હતા રાવણ ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે બીજેપીને સત્તાથી બહાર ફેંકવાનું છે વર્ષ 2019 દરમિયાન બીજેપીને સત્તાથી બહાર ફેંક્યે નહીં ત્યાં સુધી ચેન નહીં પડે હું જેલથી બહાર કામ કરવા માટે આવ્યો છું

હું મતોથી ભાજપની નસબંધી કરી દઈશ
ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં ચંદ્રશેખર રાવણે મોટી ટીપ્પણી કરતા કહ્યુ કે હું મતોથી ભાજપની નસબંધી કરી દઈશ. આ પહેલા ગુરુવારે રાતે અઢી વાગે જેલમાંથી છૂટતા જ રાવણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે ભાજપ પર નિશાન સાધતા કહ્યુ હતુ કે અમારી કોશિશ એ હશે કે સરકાર તો બહુ દૂરની વાત વિપક્ષમાં પણ તેમને જગ્યા ન મળે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
