પહેલા દલિત, પછી મુસલમાન અને હવે યોગીના મંત્રી બોલ્યા જાટ હતા હનુમાન
હનુમાનજીની જાતિ અંગે હજુ પણ હોબાળો બંધ થયો પણ નહોતો કે ભાજપના મંત્રી ચૌધરી લક્ષ્મી નારાયણે ફરીથી એકવાર વિવાદિત નિવેદન આપીને રાજકારણ ગરમાવી દીધુ છે.
હનુમાનજીની જાતિ અંગે હજુ પણ હોબાળો બંધ થયો પણ નહોતો કે ભાજપના મંત્રી ચૌધરી લક્ષ્મી નારાયણે ફરીથી એકવાર વિવાદિત નિવેદન આપીને રાજકારણ ગરમાવી દીધુ છે. મંત્રી ચૌધરી લક્ષ્મી નારાયણે કહ્યુ કે, 'હનુમાનજી જાટ હતા કારણકે જાટ જ બીજાની બાબતમાં પોતાની ટાંગ ફસાવે છે. હનુમાનજીએ ભગવાનના દાસના રૂપમાં રામજી સાથે યુદ્ધમાં શામેલ થયા હતા. એટલા માટે મને લાગે છે કે હનુમાનજી જાટ હતા.'

શું કહ્યુ બુક્કલ નવાબે?
આ પહેલા હનુમાનજી અંગે ભાજપના મંત્રી બુક્કલ નવાબે કહ્યુ કે અમારુ માનવુ છે કે હનુમાનજી મુસલમાન હતા એટલા માટે મુસલમાનોની અંદર જે નામ રાખવામાં આવે છે રહેમાન, રમજાન, ફરમાન જિશન, કુરબાન પણ નામ રાખવામાં આવે છે તે લગભગ લગભગ તેમના પર જ રાખવામાં આવે છે. તેમણે કહ્યુ કે હનુમાનજીની વાત છે તો તે દરેક જાતિ, ધર્મ, દરેક મજહબના હતા અને દરેક ધર્મના પ્યારા હતા. તેમણે કહ્યુ કે અમારા હિંદુ ભાઈઓની અંદર જ જુઓ કેટલા લોકોના નામ હનુમાનજીના નામ પર રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે લીકને મળતા આવતા નામ રાખવા અમારે ત્યાં મુસલમાનોમાં છે. જેમ કે ઈમરાન, સુલતાન વગેરે જેટલા પણ નામ છે આ બધા હનુમાનજીને મળતા આવતા છે.
|
યુપી સીએમ યોગી આદિત્યનાથે આપ્યુ હતુ વિવાદિત નિવેદન
તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં થયેલી ચૂંટણી જનસભા દરમિયાન યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હનુમાનજીની જાતિ અંગે મોટુ નિવેદન આપ્યુ હતુ. રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન યોગી આદિત્યનાથે કથિત રીતે કહ્યુ હતુ કે હનુમાનજી દલિત છે. તેમણે ચોપાઈઓ દ્વારા લોકોને ભાજપને જીતાડવાની અપીલ પણમ કરી હતી. યોગીએ કહ્યુ હતુ કે હનુમાનજી એક એવા લોકદેવતા છે જે હવે સ્વયં વનવાસી છે, ગિરવાસી છે, દલિત છે, વંચિત છે.

યોગી બોલ્યા - મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યુ
વળી, હવે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ છે કે તેમણે માત્ર એ કહ્યુ હતુ કે જે દબાયેલા કચડાયેલા હતા તેમને બજરંગબલી શકિત આપે છે. યોગી આદિત્યનાથે કહ્યુ કે તે વખતે મારા નિવેદનને તોડી મરોડીને રજુ કરવામાં આવ્યુ. તમને જણાવી દઈએ કે યોગી આદિત્યનાથના આ નિવેદન બાદ વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ તેમના પર ખૂબ નિશાન સાધ્યુ હતુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
