નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન PIO, OCI કાર્ડ્સનું વિલિનીકરણ થઇ શકે
નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર : ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી એનડીએ સરકારે યુપીએ સરકારે લીધેલા એક નિર્ણયનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર ઓવરસીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા (ઓસીઆઇ - OCI) અને પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન (પીઆઇઓ - PIO)નું વિલિનીકરણ (મર્જર) થઇ શકે છે.
આ અંગેની અન્ય વિગતો જાણવા આગળ ક્લિક કરો...

ક્યારે થઇ શકે છે ઘોષણા?
આ અંગેની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન ભારતીય સમુદાયને સંબોધન દરમિયાન કરવામાં આવશે એવી ધારણા છે.

યુપીએ સરકારે ક્યારે નિર્ણય લીધો હતો?
નોંધનીય છે કે વર્ષ 2011માં તત્કાલીન યુપીએ સરકારે આ ઓવરસીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા (ઓસીઆઇ - OCI) અને પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન (પીઆઇઓ - PIO)ના વિલિનીકરણનો નિર્ણય લીધો હતો.

મોદીની US મુલાકાત પહેલા MOIAને મનાવી લેવાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ અંગેની જાહેરાત કરાવવા માટે વડાપ્રધાનના અગ્ર સચિવ નિપેન્દ્ર મિશ્રાએ 23 સપ્ટેમ્બરે મિનિસ્ટ્રી ઓફ ઓવરસીઝ ઇન્ડિયન અફેર્સના અધિકારીઓ સાથે બેઠક યોજીને તેમને મનાવી લીધા હતા.

મર્જરથી શું લાભ?
બે કાર્ડના મર્જરને શક્ય તેટલી ઝડપથી અમલી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ થવાથી વિદેશમાં રહેતા ભારતીયોનો પ્રવાસ વધારે સુગમ બનશે. તેઓએ ભારતીય વિઝા મેળવવાની કે અન્ય કોઇ લાંબી પ્રક્રિયા કર્યા વિના સરળતાથી ભારતમાં આવી શકશે. જેથી તેઓ ભારતમાં યોજાતી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઇ શકશે.

PIO કાર્ડ્સ કોને આપવામાં આવે છે?
PIO (પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન)કાર્ડ્સ એવા ભારતીયોને આપવામાં આવે છે જેઓ છેલ્લી કેટલીક પેઢીઓથી ભારતની બહાર વિદેશમાં વસતા હોય. આ કાર્ડ ધરાવનારાઓએ ભારત આવવા માટે અલગથી વિઝા અરજી કરવી પડે છે.

OCI કાર્ડ્સ કોને આપવામાં આવે છે?
OCI (ઓવરસીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા) કાર્ડ છેલ્લા થોડા વર્ષોમાં ભારતમાંથી બહાર જઇને અન્ય દેશમાં વસેલા અને ત્યાંનું નાગરિકત્વ મેળવનારા ભારતીયોને આપવામાં આવે છે. એક રીતે કહીએ તો OCI વર્ચ્યુઅલ વિઝા છે જે આ કાર્ડ હોલ્ડરને ચોક્કસ સમય માટે ભારતમાં આવવાની છૂટ આપે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
