શિવલિંગ પર જળ ચડાવવુ એ મારી અંગત બાબત છે, તેના પર કોઈ ચર્ચા ન થવી જોઈએઃ મહેબૂબા મુફ્તી
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ 15 માર્ચે પુંછના નવગ્રહ મંદિરમાં શિવલિંગ પર જલાભિષેક કર્યા બાદ થયેલા વિવાદ પર પ્રતિક્રિયા આપી છે.
Mehbooba Mufti on offering water to Shivling: જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ 15 માર્ચે પુંછના નવગ્રહ મંદિરમાં પૂજા-અર્ચના કરી, ત્યારબાદ આખા મંદિરની પ્રદક્ષિણા કરી અને શિવલિંગ પર જલાભિષેક પણ કર્યો. આને લઈને હોબાળો મચી ગયો. હવે આ મુદ્દે મહેબૂબા મુફ્તીએ મૌન તોડ્યુ છે. તેમણે કહ્યુ કે આ તેમની અંગત બાબત છે અને આના પર ચર્ચા ન થવી જોઈએ.

'કોઈ બેવડા ધોરણો નથી'
મહેબૂબા મુફ્તીએ કહ્યુ, 'કોઈ બેવડા ધોરણો નથી. આપણે ગંગા-જમુના તહઝીબ માટે જાણીતા બિનસાંપ્રદાયિક દેશમાં રહીએ છીએ. યશપાલજી (PDPના ભૂતપૂર્વ MLC, જેમનુ ગયા વર્ષે જાન્યુઆરીમાં અવસાન થયુ હતુ) એમણે મંદિર બનાવ્યુ હતુ અને તેમના પુત્રો ઈચ્છતા હતા કે હું આ મંદિર જોઉ. પૂંછના લોકોએ મંદિર માટે ઉદારતાથી દાન આપ્યુ, જે ખૂબ જ સુંદર છે. કોઈએ મને લોટામાં પાણી આપ્યુ અને મને શિવલિંગ પર ચડાવવા કહ્યુ, જે મે કર્યુ.'

'હું મારા ધર્મને સારી રીતે જાણુ છુ'
દેવબંદના એક મૌલવીએ મહેબૂબા મુફ્તીની આકરી ટીકા કરી છે. તેમણે મહેબૂબા મુફ્તી દ્વારા શિવલિંગ પર જળ ચઢાવવાને ગેર-ઇસ્લામિક ગણાવ્યુ છે. આ અંગે મહેબૂબા મુફ્તીએ કહ્યુ કે, હું તેમાં પડવા નથી માંગતી. હું મારા ધર્મને સારી રીતે જાણુ છુ. આ દેશ તેની ગંગા-જમુના સંસ્કૃતિ માટે જાણીતો છે, જ્યાં હિંદુ અને મુસ્લિમો સુમેળથી રહે છે. અહીં મુસ્લિમો કરતાં વધુ હિંદુઓ ઝિયારત પર ચાદર ચઢાવે છે. આ મારી અંગત બાબત છે.'

ભાજપની પ્રતિક્રિયા
ભાજપે મહેબૂબાની મંદિરની મુલાકાતને ડ્રામા ગણાવી છે. પાર્ટીએ કહ્યુ કે મહેબૂબાએ એક સમયે અમરનાથ ધામ માટે જમીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. જમ્મુ અને કાશ્મીર ભાજપ પ્રવક્તા રણબીર સિંહ પઠાનિયાએ કહ્યું, '2008માં મહેબૂબા મુફ્તી અને તેમની પાર્ટીએ અમરનાથ ધામ માટે જમીન ફાળવવાનો વિરોધ કર્યો હતો. આ જમીન પર શ્રદ્ધાળુઓ માટે રહેઠાણો બનાવવાના હતા. હવે તેમનુ મંદિર જવુ એ માત્ર ડ્રામા છે. આનાથી તેમને કંઈ ફાયદો થશે નહીં. જો રાજનૈતિક નાટક દ્વારા કંઈ પ્રાપ્ત થયુ હોત તો જમ્મુ-કાશ્મીર આજે સમૃદ્ધિનો બગીચો બની ગયો હોત.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
