નાગરિકતા કાયદા પર મેઘાલયના રાજ્યપાલ, ‘તમે આ ન ઈચ્છતા હોય તો ઉત્તર કોરિયા જતા રહો'
નાગરિકતા એક્ટ પર વિરોધ વચ્ચે મેઘાલયના રાજ્યપાલે એક એવુ નિવેદન આપ્યુ છે જેના પર વિવાદ વધી શકે છે.
નાગરિકતા સુધારા બિલનો પૂર્વોત્તરના ઘણા રાજ્યોમાં જોરદાર વિરોધ થઈ રહ્યો છે. પૂર્વોત્તરના રાજ્યો અસમ, ત્રિપુરા ઉપરાંત મેઘાલયમાં પણ આ એક્ટનો વિરોધ થઈ રહ્યો છે. જ્યારે મેઘાલયની રાજધાની શિલૉન્ગમાં પણ વિરોધ પ્રદર્શનને જોતા કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે જેમાં આજે થોડી ઢીલ આપવામાં આવી છે. વળી, આ એક્ટ પર વિરોધ વચ્ચે મેઘાલયના રાજ્યપાલે એક એવુ નિવેદન આપ્યુ છે જેના પર વિવાદ વધી શકે છે.

દેશના ક્યારેક ધર્મના નામે ભાગલા પાડવામાં આવ્યા હતાઃ રાજ્યપાલ
મેઘાલયના રાજ્યપાલ તથાગત રૉયે કહ્યુ કે લોકતંત્ર અનિવાર્ય રીતે વિભાજનકારી છે, જો તમે આને ન ઈચ્છતા હોય તો ઉત્તર કોરિયા જતા રહો. રાજ્યપાલ પરોક્ષ રીતે નવા નાગરિકતા એક્ટનુ સમર્થન કરી રહ્યા હતા. તેમણે ટ્વિટ કર્યુ, ‘વિવાદના વર્તમાન માહોલમાં બે વાતોને ક્યારેય ન ભૂલવી જોઈએ. પહેલી કે દેશના ક્યારેક ધર્મના નામ પર ભાગલા પાડવામાં આયા હતા અને બજી કે લોકતંત્ર અનિવાર્ય રીતે ભાગલાવાદી છે.' તેમણે આ ટ્વિટમાં આગળ લખ્યુ કે જો તમે આ ન ઈચ્છતા હોય તો ઉત્તર કોરિયા જતા રહો.
|
તો ઉત્તર કોરિયા જતા રહોઃ રાજ્યપાલ
રાજભવનના ગેટ પર પ્રદર્શનકારીઓ પહોંચવાના થોડા કલાક પહેલા જ તેમનુ આ ટ્વિટ આવ્યુ હતુ. આ પ્રદર્શન દરમિયાન સુરક્ષા ઘેરાને તોડવાની કોશિશ કરવામાં આવી હતી ત્યારબાદ પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, આ લાઠીચાર્જમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દરમિયાન બે પોલિસકર્મી પણ ઘાયલ થઈ ગયા હતા. મેઘાલય ઉપરાંત અસમ અને ત્રિપુરામાં પણ નાગરિકતા કાયદાનો જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે. રાજ્ય સરકારે લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે.

મેઘાલયમાં પણ થઈ રહ્યો નાગરિકતા કાયદાનો વિરોધ
મેઘાલયમાં પણ ઈન્ટરનેટ અને એસએમએસ સર્વિસ પર રોક લગાવી દેવામાં આવી છે. નાગરિકતા સુધારા બિલના વિરોધમાં સૌથી વધુ ઉગ્ર પ્રદર્શન અસમમાં જોવા મળ્યુ છે. જ્યાં ગુરુવારે હિંસક પ્રદર્શન દરમિયાન પોલિસ ફાયરિંગમાં બે પ્રદર્શનકારીઓનુ મોત થઈ ગયુ હતુ. આ પ્રદર્શનને 30 છાત્ર સંગઠનો અને ડાબેરી પક્ષોનુ સમર્થન મળી રહ્યુ છે. અસમમાં હજારો પ્રદર્શકારીઓએ રેલવે અને રસ્તા પર પ્રદર્શન કર્યા. આ કારણ રાજ્યમાં રેલ અને માર્ગ વાહનવ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત થયુ. પ્રદર્શનકારીઓએ વિધાનસભા, સચિવાલયમાં ઘૂસવાની કોશિશ કરી, પોલિસ બેરીકેડ્સ તોડ્યા, આગ લગાવી અને તોડફોડ પણ કરી.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
