કાલાપાની બૉર્ડરઃ વિદેશ મંત્રાલયે કહ્યુ, નેપાળ માટે નક્શામાં ફેરફારનો સવાલ જ નથી
નેપાળ કાલાપાની સીમા મુદ્દે ભારત સાથે વાત કરવા ઈચ્છે છે. આ બધા વચ્ચે વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારનો નિવેદન આવ્યુ છે.
છેલ્લા ઘણા સમયથી ભારત અને નેપાળ વચ્ચે કાલાપાની બૉર્ડર માટે ટકરાવની સ્થિતિ બનેલી છે. નેપાળ, ભારતના એ નક્શાથી નારાજ છે જેમાં ઉત્તરાખંડ-નેપાળની સીમા પર પડતી કાલાપાનીને ભારતીય વિસ્તારમાં બતાવવામાં આવ્યુ છે. જો કે નેપાળ આ મુદ્દે ભારત સાથે વાત કરવા ઈચ્છે છે. આ બધા વચ્ચે વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારનો નિવેદન આવ્યુ છે.

રવીશ કુમારે કહ્યુ કે અમારો નક્શો ભારતના સંપ્રભુ ક્ષેત્રને યોગ્ય રીતે ચિત્રિત કરે છે. નવા નક્શામાં નેપાળ સાથે લાગેલી અમારી સીમામાં કોઈ પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવ્યો. જો કે સરકારે સાથે એ પણ કહ્યુ છે કે પરિસીમનની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. વિદેશ મંત્રાલય તરફથી આ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે નેપાળના મીડિયામાં એવા સમાચાર આવ્યા હતાકે 15 જાન્યુઆરીએ આ મુદ્દે બંને દેશો વચ્ચે વાતચીત થશે.
ભારતમાં નેપાળના રાજદૂત નીલાંબર આચાર્યએ કહ્યુ હતુ કે કાલાપાની સહિત સીમા સાથે જોડાયેલા બધા મુદ્દાઓ ઉકેલવા માટે નેપાળ વિદેશ સચિવ સ્તરીય વ્યવસ્થા ઈચ્છે છે. સાથે જ તેમણે કહ્યુ હતુ કે સંબંધોમાં ખટાશને રોકવા માટે કાલાપાની સીમા સાથે જોડાયેલા મુદ્દાને ઉકેલવો જરૂરી છે. બીજી તરફ નેપાળની સુપ્રીમ કોર્ટે આ મુદ્દે બે વાસ્તવિક નક્શાને ઉપલબ્ધ કરાવવા કહ્યુ છે.
આ પહેલા, નવા નક્શા પર નેપાળના પ્રધાનમંત્રી કેપી ઓલી તરફથી નિવેદન આવ્યુ હતુ. ઓલીએ કહ્યુ હતુ, 'સરકાર કોઈને પણ પોતાની જમીનનો એક ઈંચ હિસ્સો પણ નહિ લેવા દે. તેમણે આગળ કહ્યુ હતુ, પડોશી દેશે તરત જ અમારી સીમામાંથી પોતાની સેનાને પાછી બોલાવવી પડશે.' જ્યારે નેપાળના પીએમના આ નિવેદન બાદ ભારત તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યુ હતુ કે તેણે નેપાળ સાથેની સીમા સાથે કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
