ભારતમાં સામુહિક સ્થળાંતરથી HIVગ્રસ્તો વધ્યા?

જાણીતા અંગ્રેજી દેનિકમાં હેલ્થ એડિટર તરીકે કાર્યરત કૌંતૈય સિંહાના વિચારમાં "ભારતના એચઆઇવી કન્ટ્રોલ પ્રોગ્રામ સામે સૌથી મોટું જોખમ માસ માઇગ્રેશન (સામુહિક સ્થળાંતર) છે." આ સમસ્યાને કેવી રીતે નાથી શકાય તે અંગે વિચારવું જરૂરી છે.
ભારતની વર્ષ 2001ની વસતી ગણતરી અનુસાર ભારતમાં ત્રીજા ભાગની વસતી વણઝારાઓ અથવા સ્થળાંતર કરનારાઓની (1991માં 27.4 ટકા) છે. ચિંતાજનક બાબત એટલા માટે છે કે ભારતના નેશનલ એઇડ્સ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (NACO)ના આંકડા દર્શાવે છે કે સ્થળાંતર કરનારાઓમાં એઇડ્સ ફેલાવાનું પ્રમાણ 3.6 ટકા છે. આ પ્રમાણ સામાન્ય લોકો કરતા 10 ગણું વધારે છે.
આ અંગે મહારાષ્ટ્રમાં વર્ષ 2009માં કરવામાં આવેલા સર્વેનું તારણ દર્શાવે છે કે 18.6 ટકા સ્થળાંતરિતોમાં સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન (sexually transmitted infection)ના લક્ષણો જોવા મળ્યા છે. તેમાંથી 45 ટકા લોકોએ કોઇ પણ પ્રકારની સારવાર લીધી નથી. તેમાંથી 76 ટકા એવા છે જેમણે HIV થવાની શક્યતાને ગંભીરતાથી લીધી નથી. માત્ર 13 ટકા લોકોને ઇન્ફેક્સ લાગ્યું છે કે નહીં તેની તપાસ કરવામાં આવી છે.
આ મુદ્દે ભારતના સ્વાસ્છથ્ય મંત્રાલયને ડર છે કે એચઆઇવીનો ફેલાવો સ્થળાંતર કરનારાઓને કારણે વધી રહ્યો છે. કારણ કે તેમનની સેક્સ્યુઅલ વર્તણૂંક જોખમી હોય છે, તેમને સામાજિક કે આર્થિક સુરક્ષા હોતી નથી આ કારણે તેઓ જોખમી પ્રવૃત્તિઓ કરતા હોય છે. તાજેતરમાં થયેલા એક અન્ય અભ્યાસમાં જણાવાયું છે કે નોન માઇગ્રન્ટ કરતા માઇગ્રન્ટ થયા લોકોમાં એચઆઇવી થવાના જોખમની શક્યતા 1.68 ટકા વધારે છે.
એક અભ્યાસ દર્શાવે છે કે સામાન્ય લોકોની સરખામણીએ છુટક કામકાજ કરતા મજૂરીયાઓ પોતાના સેક્સ્યુઅલ પાર્ટનર્સ બદલતા હોય છે અથવા સેક્સ વર્કર્સ પાસે જતા હોય છે. સેક્સ વર્કર્સમાંથી માત્ર 25 ટકા જ વર્કર્સ કોન્ડોમનો ઉપયોગ કરતી હોય છે.
ભારતમાં એચઆઇવીની ગંભીર સ્થિતિને નિયંત્રિત કરવા માટે NACOએ નવી માઇગ્રેશન પોલિસી તૈયાર કરવાનું વિચાર્યું છે જેમાં રેલવે સ્ટેશન્સનો પણ સમાવેશ કરવામાં આવશે. કારણ કે માઇગ્રન્ટ્સ લાંબા અંતરની મુસાફરી કરવા માટે રેલવેનો ઉપયોગ વધારે કરતા હોય છે. પોલિસીમાં પ્રાથમિક ધોરણે છૂટક કામદારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. NACOને વિશ્વાસ છે કે આમ કરવાથી એઇડ્સ ફેલાવાનું જોખમ ઘટાડી શકાશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
