કર્ણાટકમાં 60 વર્ષથી વધુ વયના લોકો માટે માસ્ક પહેરવુ ફરજિયાત
Covid-19 Sub Variant JN.1: કોરોનાનો ખતરો ફરી એકવાર દસ્તક આપી રહ્યો છે. કોરોના JN.1ના નવા વેરિઅંટના જોખમને ધ્યાનમાં રાખીને, કર્ણાટક સરકારે વરિષ્ઠ નાગરિકો માટે એક એડવાઇઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો, જેમને હ્રદય રોગ, કિડનીની બીમારી હોય અથવા તાવ, શરદી વગેરે હોય તેમણે માસ્ક પહેરવું ફરજિયાત છે.
કર્ણાટકના આરોગ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવે કહ્યું કે કર્ણાટક સરકારે નિર્ણય લીધો છે કે કેરળમાં કોરોના સબવેરિયન્ટ JN.1નો કેસ પ્રકાશમાં આવ્યા બાદ, મંગળવારે આ સંદર્ભમાં એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

આરોગ્ય મંત્રીએ કહ્યું કે અમે સલાહકાર સમિતિ સાથે બેઠક કરી છે. બેઠકમાં અનેક મહત્વના પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક TAC ચીફ રવિની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં ભાવિ રણનીતિ શું હોવી જોઈએ તેની ચર્ચા કરવામાં આવી હતી. તેમણે આ મામલે કેન્દ્ર સરકાર સાથે પણ ચર્ચા કરી છે.
આરોગ્ય મંત્રીએ કહ્યું કે હૉસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં જરૂરી તૈયારીઓ માટે પહેલાથી જ સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકારને સરહદી જિલ્લાઓમાં તકેદારી વધારવા માટે પણ કહેવામાં આવ્યું છે. કોડાગુ, મેંગલુરુ, ચામરાજનગર જેવા સરહદી જિલ્લાઓને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.
શ્વાસ સંબંધી રોગોથી પીડિત લોકો માટે ટેસ્ટિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. તેનાથી જ જાણી શકાશે કે દરરોજ કોરોના સંક્રમણના કેટલા કેસ સામે આવી રહ્યા છે. જો કે, આરોગ્ય મંત્રીએ કહ્યું કે લોકોએ આ અંગે ચિંતા કરવાની જરૂર નથી, પરિસ્થિતિ નિયંત્રણમાં છે.
નવા વેરિઅન્ટની ગંભીરતા આગામી 2-3 દિવસમાં જાણી શકાશે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. જો વધુ લોકોમાં કોરોનાના લક્ષણો જોવા મળશે તો જ નિષેધાત્મક પગલાં લેવામાં આવશે. પરંતુ અત્યારે એવી સ્થિતિ નથી, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.












Click it and Unblock the Notifications
