ભાગવત ફરી બોલ્યા, હવે પતિ-પત્નીના સંબંધો પર ઉઠાવ્યો સવાલ

મોહન ભાગવતે ઉપસ્થિત મેદનીને સંબોધતા કહ્યું હતું કે, પતિ સાથે પત્નીનો એક કરાર હોય છે. જેને તમે લોકો વિવાહ સંસ્કાર તરીકે ઓળખતાં હશો. આ કરાર હેઠળ, જો પત્ની કરાર હેઠળ પોતાની શરતો પુરી નથી કરતી તો તેને છોડી દો, તેવી જ રીતે પતિ તેની શરતો પુરી નથી કરતો તો તેને પણ છોડી દો.
બીજી તરફ ભાગવતના નિવેદનને લઇને થઇ રહેલા બબાલ બાદ સંઘ ફરી તેમના બચાવમાં આવ્યું છે. સંઘના પ્રવક્તા રામ માઘવનું કહેવું છે કે ભાગવતના નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. રામ માઘવે ટ્વિટર પર કહ્યું છે કે, જે પણ સંઘના પ્રમુખ દ્વારા કહેવામા આવ્યું છે, તેનો ઉંઘો અર્થ કાઢીને વિવાદ ખડો કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ(આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે બળાત્કારની ઘટનાઓ ભારતમાં ઓછી અને ઇન્ડિયામાં વધારે થાય છે. ભાગવતે બળાત્કાર માટે પશ્ચિમી સંસ્કૃતિને જવાબદાર ઠેરવતા કહ્યું હતું કે બળાત્કાર શહેરોમાં વધારે થઇ રહ્યાં છે કારણ કે ત્યાં લોકો પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત છે.
મોહન ભાગવતના મતે, રેપ જેવી ઘટનાઓ 'ભારત'માં ક્યારેક-ક્યારેક થાય છે, પરંતુ 'ઇન્ડિયા'માં વારંવાર થાય છે. તમે ગામડાં અને જંગલોમાં જાઓ ત્યાં સામુહિક બળાત્કાર કે પછી યૌન શોષણ નથી થતાં. આ સાથે જ ભાગવતે કહ્યું કે નવા કાયદા ઉપરાંત લોકોએ ભારતીય સંસ્કૃતિ અને મહિલાઓ તરફ જોવાની દૃષ્ટી બદલવા તરફ ધ્યાન આપવું જોઇએ. મોહન ભાગવતે બળાત્કારીઓને ફાંસીની સજાની માંગ કરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
