અલકા લાંબાના રાજીનામા પર મનીષ સિસોદિયા, ‘કોઈ રાજીનામુ નથી થયુ'
1984ના સિખ વિરોધ રમખાણો અંગે દિલ્લી વિધાનસભામાં પ્રસ્તાવ લાવવાનો વિવાદ એટલી હદે વધ્યો કે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને મીડિયા સામે આવીને સફાઈ આપવી પડી.
1984ના સિખ વિરોધ રમખાણો અંગે દિલ્લી વિધાનસભામાં પ્રસ્તાવ લાવવાનો વિવાદ એટલી હદે વધ્યો કે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને મીડિયા સામે આવીને સફાઈ આપવી પડી. મનીષ સિસોદિયાએ અલકા લાંબા પાસે રાજીનામું માંગવા સમાચારો ફગાવી દીધા અને કહ્યુ કે પાર્ટીએ કોઈની પાસે રાજીનામુ માંગ્યુ નથી. મનીષ સિસોદિયાઓ કહ્યુ કે 1984 રમખાણોના પીડિતોને ન્યાય અપાવવા માટે આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.

જ્યારે પાર્ટીના પ્રવકતા સૌરભ ભારદ્વાજે કાલના નિવેદનને ફરીથી કહેતા જણાવ્યુ કે જરનૈલ સિંહને સંસદમાં બોલતા પહેલા પ્રસ્તાવની કોપી બધાને આપવામાં આવી હતી. જેમાં રાજીવ ગાંધીનો ઉલ્લેખ નહોતો. સોમનાથ ભારતીએ તે પ્રસ્તાવ પર પેનથી રાજીવ ગાંધી વિશે એક લાઈન લખીને જરનૈલ સિંહને આપી દીધી હતી. તેમણે કહ્યુ કે જો કોઈ સભ્ય પોતાનું એમેન્ડમેન્ટ અલગથી લાવવા ઈચ્છે તો સ્પીકર તેને અવગત કરાવે છે. ભારદ્વાજે કહ્યુ કે સંસદમાં જે પ્રસ્તાવ લાવવામાં આવ્યો તેમાં રાજીવ ગાંધી પાસેથી ભારત રત્ન છીનવવો શામેલ નહોતો પરંતુ આ એક સભ્યનો પોતાનો પ્રસ્તાવ હતો. મનીષ સિસોદિયાએ અલકા લાંબાના રાજીનામાના સમાચારોને ફગાવી દેતા કહ્યુ કે પાર્ટીએ તેમની પાસે કે કોઈની પાસે રાજીનામાની માંગ કરી નથી.
Manish Sisodia, Delhi Deputy Chief Minister on Alka Lamba: No resignation has been sought and from no one, all these are rumours pic.twitter.com/r2SCb4Bg8F
— ANI (@ANI) 22 December 2018
રાજીવ ગાંધી પાસે ભારત રત્ન પાછો લેવા પર બોલ્યા સિસોદિયા
મનીષ સિસોદિયાએ કહ્યુ કે અમે આમાં વિશ્વાસ નથી કરતા કે રાજીવ ગાંધી પાસેથી ભારત રત્ન પાછો લેવો જોઈએ. લોકસભા ચૂંટણી પહેલા સંભવિત ગઠબંધનના સવાલ પર સિસોદિયાએ કહ્યુ કે કોંગ્રેસ સાથે ગઠબંધનનો કોઈ સવાલ જ નથી. કોંગ્રેસ અને ભાજપ બંનેના હાથ લોહીથી ખરડાયેલા છે. આ બંને પક્ષોના હાથ રમખાણોના લોહીથી ખરડાયેલા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
