Video: મેનકા ગાંધીએ સુલ્તાનપુરમાં મુસલમાનોને મત માટે આપી ધમકી
કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકારમાં કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા મેનકા ગાંધીએ સુલતાનપુરમાં મુસ્લિમોને સંબોધિત કરતા વિવાદિત નિવેદન આપ્યુ.
કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકારમાં કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા મેનકા ગાંધીએ સુલ્તાનપુરમાં મુસ્લિમોને સંબોધિત કરતા વિવાદિત નિવેદન આપ્યુ. તેમણે સુલ્તાનપુરમાં મુસ્લિમ સમાજના લોકોને સંબોધિત કરતા કહ્યુ કે જો તે તેમના મતો વિના જીત્યા તો તે તેમનું કામ નહિ કરે. એટલુ જ નહિ મેનકાએ ધમકીભર્યા અંદાજમાં કહ્યુ કે છેવટે નોકરી સોદેબાજી પણ તો હોય છે. તેમણે કહ્યુ કે આ જીત તમારા વિના પણ થશે અને તમારી સાથે પણ થશે. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં શેર થઈ રહ્યો છે.

મેનકાએ મુસ્લિમોને આપી ધમકી
મેનકા ગાંધી સુલ્તાનપુરમાં પોતાના ચૂંટણી પ્રચાર માટે ગયા હતા. તેમણે અહીંના તુરકાની વિસ્તારમાં મુસ્લિમ સમાજના લોકોને સંબોધિત કરતા કહ્યુ કે જરૂરી છે, હું જીતી રહી છુ. લોકોની મદદ અને પ્રેમના કારણે જીતી રહી છુ. પરંતુ જો મારી જીત મુસલમાનો વિના થશે તો મને બહુ સારુ નહિ લાગે. કારણકે હું એટલુ કહી દઉ છુ કે પછી દિલ ખાટુ થઈ જાય છે, પછી મુસલમાન આવે છે કામ માટે તો પછી હું વિચારુ છુ કે રહેવા દો, શું ફરક પડે છે. છેવટે નોકરી એક સોદેબાજી પણ તો હોય છે, વાત સાચી છે કે નહિ. એવુ નથી આપણે બધા મહાત્મા ગાંધીની છઠ્ઠી ઓલાદ છે કે અમે લોકો આવીએ અને માત્ર આપતા જ રહીશુ, આપતા જ રહીશુ અને પછી ચૂંટણીમાં માર ખાતા રહીશુ. સાચી છે વાત કે નહિ, તમારે એ સમજવુ પડશે કે આ જીત તમારા વિના પણ થશે, તમારી સાથે પણ થશે.

‘આ જ સમય છે પાયો નાખવાનો'
મેનકા ગાંધીએ આગળ કહ્યુ કે જો તમને લાગે કે અમે ખુલ્લા હાથે, ખુલ્લા દિલ સાથે આવ્યા છે. તમને લાગે કે કાલે મારી જરૂર પડશે. આ ચૂંટણી તો હું પાર કરી ચૂકી છુ. હવે તમને મારી જરૂર પડશે. હવે તમારે જરૂરત માટે પાયો નાખવો હોય તો આ છે સમય છે તમારો. જ્યારે તમારા પોલિંગ બુથનું પરિણામ આવશે કે 50 ટકા મત નીકળશે તો ત્યારબાદ જ્યારે તમે કામ માટે આવશે તો એ જ હશે મારો સાથ. સમજી ગયા. તો એટલા માટે જ્યારે તમે મારા છો તો મારા જ રહો.

મેનકા આ વખતે સુલ્તાનપુરથી ચૂંટણી લડી રહ્યા છે
મેનકા ગાંધી હાલમાં પીલીભીતથી સાંસદ છે. તેમને પાર્ટીએ આ વખતે સુલ્તાનપુરથી ટિકિટ આપી છે. આ સીટ પર અત્યારે તેમના પુત્ર વરુણ ગાંધી સાંસદ છે. પરંતુ ભાજપે આ ચૂંટણાં વરુણ ગાંધીને પીલીભીતથી ઉમેદવાર બનાવ્યા છે. વરુણ ગાંધી 2009થી પીલીભીતથી જીતી ચૂક્યા છે. મેનકા ગાંધીએ બસપા સુપ્રીમો માયાવતીને ટિકિટોના વેપારી કહ્યા હતા અને તેમના પર રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે તે પોતાની પાર્ટીના ઉમેદવારો પાસેથી ટિકિટ માટે 15થી 20 કરોડ રૂપિયા લે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
