CAA સામે આજે મમતા-ઓવૈસીનુ વિરોધ પ્રદર્શન, મુસ્લિમ સંગઠન રાખશે 1 દિવસનો રોજો
આજે બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી CAA સામે નૉન-સ્ટૉપ ધરણા શરૂ કરશે. વળી, હૈદરાબાદમાં અસદુદ્દીન ઓવૈસી તરફથી મોટી માર્ચ કાઢવામાં આવશે.
નાગરિકતા સુધારા કાયદા સામે દેશના અલગ અલગ ભાગોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આજે બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી CAA સામે નૉન-સ્ટૉપ ધરણા શરૂ કરશે. વળી, હૈદરાબાદમાં અસદુદ્દીન ઓવૈસી તરફથી મોટી માર્ચ કાઢવામાં આવશે. આ ઉપરાંત અમુક મુસ્લિમ સંગઠનોએ આજે CAA સામે રોજો રાખવાનુ એલાન કર્યુ છે.

નૉન-સ્ટૉપ ઘરણાનુ એલાન
તમને જણાવી દઈએ કે બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી તરફથી CAA સામે નૉન-સ્ટૉપ ઘરણાનુ એલાન કરવામાં આવ્યુ છે જ્યારે તેના એક દિવસ પહેલા જ તેમણે મોદી સરકારને ઘેરવાની વિપક્ષી એકતાની કવાયતને એ સમયે ઝટકો આપ્યો જ્યારે તેમણે 13 જાન્યુઆરીના રોજ દિલ્લીમાં યોજાનાર વિપક્ષની બેઠકમાં જવાનો ઈનકાર કરી દીધો.
|
ડર્ટી પોલિટિક્સ રમવાનો આરોપ
જેની અધ્યક્ષતા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કરવાના હતા. તેમણે કોંગ્રેસ અને લેફ્ટ પર બંગાળમાં ડર્ટી પોલિટિક્સ રમવાનો આરોપ લગાવીને કહ્યુ છે કે હવે તે નાગરિકતા સુધારા કાયદો અને એનઆરસી સામે એકલા લડાઈ લડશે.
|
રેલી કાઢવામાં આવશે
વળી, AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી આજે હૈદરાબાદમાં નાગરિકતા સુધારા કાયદા સામે મોટી જનસભા કરવાના છે. પહેલા એક રેલી કાઢવામાં આવશે ત્યારબાદ જનસભાને સંબોધિત કરવામાં આવશે. આ પ્રદર્શનો ઉપરાંત દેશના ઘણા ભાગોમાં CAA અને NRCના વિરોધમાં અને સમર્થનમાં પ્રદર્શન ચાલુ રહેશે.












Click it and Unblock the Notifications
