'મોદીજીના ભાષણમાં RSSની વાસ આવે છે', કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર પીએમની ટિપ્પણી પર ખડગેનો પલટવાર
Lok Sabha elections 2024: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું હતું કે 'મોદીજીના ભાષણોમાં આરએસએસની વાસ આવે છે.'
મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસના મેનિફેસ્ટો પર પીએમ મોદીના નિવેદનો પર વળતો પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના રાજકીય અને વૈચારિક પૂર્વજોએ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ભારતીયો વિરુદ્ધ અંગ્રેજો અને મુસ્લિમ લીગને સમર્થન આપ્યું હતું.

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આજે પણ તેઓ સામાન્ય ભારતીયોની આકાંક્ષાઓ, જરૂરિયાતો અને માંગણીઓ અનુસાર માર્ગદર્શન અને આકાર આપવામાં આવેલા 'કોંગ્રેસ ન્યાય પત્ર' વિરુદ્ધ મુસ્લિમ લીગનુ આહ્વાન કરી રહ્યા છે.
મોદી-શાહના વૈચારિક પૂર્વજોએ 1942માં મૌલાના આઝાદના નેતૃત્વમાં મહાત્મા ગાંધીના ભારત છોડો આંદોલનનો વિરોધ કર્યો હતો. બધા જાણે છે કે કેવી રીતે પ્રસાદ મુખર્જીએ 1940માં મુસ્લિમ લીગ સાથે ગઠબંધન કરીને બંગાળ, સિંધ અને NWFPમાં પોતાની સરકારો બનાવી.
શું શ્યામા પ્રસાદ મુખર્જીએ તત્કાલિન બ્રિટિશ ગવર્નરને પત્ર લખ્યો ન હતો કે 1942ના ભારત છોડો આંદોલનનો કેવી રીતે સામનો કરી શકાય અને કોંગ્રેસને કેવી રીતે દબાવી શકાય? આ માટે તેમણે કહ્યું કે ભારતીયોએ અંગ્રેજો પર વિશ્વાસ કરવો પડશે?
ખડગેએ આરોપ લગાવ્યો કે, "મોદી-શાહ અને તેમના નામાંકિત પ્રમુખ આજે કોંગ્રેસના મેનિફેસ્ટો વિશે જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે." કોંગ્રેસ અધ્યક્ષે દાવો કર્યો કે, "મોદીજીના ભાષણોથી આરએસએસની વાસ આવી રહી છે, ભાજપનો ચૂંટણી ગ્રાફ દિવસેને દિવસે નીચે આવી રહ્યો છે, તેથી આરએસએસ તેના શ્રેષ્ઠ મિત્ર - મુસ્લિમ લીગને યાદ કરવા લાગ્યો છે!"
ખડગેએ જણાવ્યુ કે, ''એક જ સત્ય છે - કોંગ્રેસનો ઢંઢેરો ભારતના 140 કરોડ લોકોની આશાઓ અને આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે. તેમની સંયુક્ત તાકાત મોદીજીના 10 વર્ષના અન્યાયનો અંત લાવશે!".
તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ કહ્યું હતુ કે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં 'સંપૂર્ણપણે મુસ્લિમ લીગની છાપ' છે અને બાકીના ભાગમાં 'ડાબેરીઓ'નું વર્ચસ્વ છે. તમે જોયું જ હશે, કોંગ્રેસે ગઈ કાલે જે રીતે તેનો ઢંઢેરો બહાર પાડ્યો, તે સાબિત કરે છે કે આજની કોંગ્રેસ આજના ભારતની આકાંક્ષાઓ અને અપેક્ષાઓથી દૂર છે. કોંગ્રેસ દ્વારા બહાર પાડવામાં આવેલ ઢંઢેરો એ જ વિચારસરણીને પ્રતિબિંબિત કરે છે જે આઝાદી સમયે મુસ્લિમોની હતી. કોંગ્રેસના ઢંઢેરામાં સંપૂર્ણપણે મુસ્લિમ લીગની છાપ છે અને જે કંઈ બાકી છે, તેમાં ડાબેરીઓનું વર્ચસ્વ દેખાતું નથી."
નોંધનીય છે કે કોંગ્રેસનો ઢંઢેરો પક્ષના નેતાઓ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દ્વારા શુક્રવારે, 5 એપ્રિલના રોજ પાર્ટી હેડક્વાર્ટર ખાતે બહાર પાડવામાં આવ્યો હતો. કોંગ્રેસે તેના ઘોષણાપત્રમાં MSP માટે કાયદાકીય ગેરંટી, સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 50 ટકા અનામત, અગ્નિપથ યોજનાને રદ્દ કરવી, આગામી દસ વર્ષમાં જીડીપી બમણી કરવી, પક્ષપલટા વિરોધી કાયદાને મજબૂત બનાવવો, ચીન સાથે યથાવત સ્થિતિ પુનઃસ્થાપિત કરવી, ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે મોબાઈલ ફોન અને GST શાસનમાં સુધારો સહિતના ઘણા વચનો આપ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
