કેબિનેટ કમિટીમાં મોટો બદલાવ, જ્યોતિરાદીત્ય સિંધિયા - સમૃતિ ઇરાનીને મળી મહત્વની જવાબદારી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ તેમના પ્રધાનમંડળમાં ફેરબદલ કર્યા છે, જ્યાં કેબિનેટમાં ઘણા નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, ઘણાના મંત્રાલયો બદલાયા છે અને ઘણા મંત્રીઓને પણ બહાર જવાનો રસ્તો બતાવવામાં આવ્યો છે. કેબ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ તેમના પ્રધાનમંડળમાં ફેરબદલ કર્યા છે, જ્યાં કેબિનેટમાં ઘણા નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, ઘણાના મંત્રાલયો બદલાયા છે અને ઘણા મંત્રીઓને પણ બહાર જવાનો રસ્તો બતાવવામાં આવ્યો છે. કેબિનેટમાં આ ફેરફાર પછી હવે કેબિનેટ સમિતિમાં પણ મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. યુવા નેતાઓ કે જેઓને મંત્રીમંડળમાં શામેલ કરવામાં આવ્યા છે અથવા પ્રમોશન આપવામાં આવ્યું છે, તેઓને હવે કેબિનેટ સમિતિઓમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે મનસુખ માંડવીયા, સર્બાનંદ સોનોવાલ અને ભૂપેન્દ્ર યાદવ શામેલ છે.

પર્યાવરણ અને શ્રમ મંત્રાલય સંભાળી રહેલા ભૂપેન્દ્ર યાદવને રાજકીય બાબતોની કેબિનેટ સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે બંદર પ્રધાન સર્વાનંદ સોનોવાલ, મનસુખ માંડવીયા, ગિરીરાજ સિંઘને પણ આ સમિતિમાં સ્થાન મળ્યું છે. સમિતિમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીને પણ શામેલ કરવામાં આવી હતી. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ રોકાણ અને વૃદ્ધિ સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે નારાયણ રાણે, અશ્વિની વૈષ્ણવ, કિરણ રિજિજુ, અનુરાગ ઠાકુરને પણ મહત્વની સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર જેવા મોટા નેતાઓ ફક્ત મોદી કેબિનેટની બહાર જ રહ્યા નથી, પરંતુ આ સમિતિઓમાંથી બહાર પણ થયા છે, ત્યારબાદ તેમની જગ્યાએ નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યા છે. સંસદીય બાબતોની સમિતિમાં અર્જુન મુંડા, વિરેન્દ્ર કુમાર, કિરન રિજિજુ, અનુરાગ ઠાકુરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે આ સમિતિના અધ્યક્ષ રાજનાથ સિંહ છે. તે જ સમયે, રાજકીય બાબતોથી સંબંધિત સમિતિમાં સ્મૃતિ ઈરાની, સર્વાનંદ સોનોવાલ, ગિરિરાજ સિંહ, મનસુખ માંડવીયા, ભૂપેન્દ્રસિંહને સ્થાન મળ્યું છે અને આ સમિતિના અધ્યક્ષ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે.
ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ગ્રોથ કમિટી વિશે વાત કરીએ તો નારાયણ રાણે, જ્યોતિરાદિત્ય સિંધિયા, અશ્વિની વૈષ્ણવને તેમાં સ્થાન મળ્યું છે અને આ સમિતિના અધ્યક્ષ પીએમ મોદી છે. વડા પ્રધાન મોદી રોજગાર અને કુશળતાને લગતી મહત્વપૂર્ણ સમિતિના અધ્યક્ષ પણ છે અને આ સમિતિમાં ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર યાદવ, હરદીપ પુરી, આરસીપી સિંહ, અશ્વિની વૈષ્ણવને સ્થાન મળ્યું છે. જો કે નિમણૂંક અને સુરક્ષા સંબંધિત કમિટીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
