રાજ ઠાકરેના નિવેદન બાદ મહારાષ્ટ્રના કેટલાક ટોલબૂથો પર તોડફોડ
મુંબઇ, 27 જાન્યુઆરી: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેના ભડકાઉ નિવેદન બાદ કેટલાક ટોલ બૂથ પર તોડફોડ થઇ હતી. આ તોડફોડ રાતથી ચાલુ છે. રાજ ઠાકરેએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે જો કોઇ ટોલ માંગે તો તેને મારો. ઘટના બાદ પોલીસ ત્યાં પહોંચી જતાં હંગામો મચાવનાર નાસી ભાગ્યા હતા. પોલીસ ઘટનાની તપાસમાં જોડાઇ ગઇ છે. તેમનું કહેવું છે કે હંગામો મચાવનારને છોડવામાં નહી આવે.
બીજી તરફ નાગપુરમાં પણ તોડફોડનો પ્રયત્ન થયો છે. જેને નિષ્ફળ કરી દેવામાં આવ્યો હતો. નવી મુંબઇમાં એક કાર્યક્રમ દરમિયાન રાજ ઠાકરેએ કહ્યું હતું કે કોઇપણ ટોલ ના ભરે અને વચ્ચે જે પણ આવે તેને મારો. રાજ ઠાકરેએ કહ્યું હતું કે 'મહારાષ્ટ્રમાં એક પણ ટોલનાકા પર ટોલ ના ભરો. વચ્ચે કોઇપણ આવે તો તેને તોડી દો. જ્યાં સુધી એ ન બતાવે કે ટોલ કઇ બાબતનો લે છે ત્યાં સુધી ટોલ ના ભરો. રસ્તામાં ગાડીઓ ઉભી કરી દો, ટ્રાફિક જામ થવા દો, જે થાવું હોય તે થવા દો.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરે પોતાની પાર્ટીના એક ઓફિસના ઉદઘાટન કરવા પહોંચ્યા હતા. તેમને પોતાના કાર્યકર્તાઓને ટોલ ન આપવાનું આહવાન કરતાં ત્યારબાદ જ ટોલનાકા પર તોડફોડના સમાચાર આવવા લાગ્યા. ઠાણે અને નવી મુંબઇના ટોલનાકા પર હંમાગો કરવામાં આવ્યો છે. તોડફોડ કરનાર લોકો ફરાર થઇ ગયા છે. એવું કહેવામાં આવે છે કે ટોલ ચૂંટણીલક્ષી મુદ્દો બની ગયો છે રાજકીય પક્ષો આ પ્રકારની વાતો કરી રહ્યાં છે.
રાજ ઠાકરેના એલાન બાદ મહારાષ્ટ્રના અલગ-અલગ સ્થળો પર ટોલનાકાઓ પર તોડફોડના બનાવો શરૂ થઇ ગયા હતા. આ બનાવોમાં નવી મુંબઇ, ઠાણે, કલ્યાણ અને નાગપુર સહિત કેટલાક સ્થળોએ અજ્ઞાત લોકોએ ટોલનાકાના કાચ તોડી નાખ્યા હતા. જો કે તેની ટોલ વસૂલી પર અસર વર્તાઇ નથી. દરેક જગ્યાએ ટોલ વસૂલવામાં આવે છે.
મામલાને ગંભીર જોતાં આખી રાત ટોલનાકા પર પોલીસે સુરક્ષા વધારી દિધી છે. તેમછતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓ રાતે ટોલનાકા વિરૂદ્ધ તોડફોડની મુહિમને અંજામ આપી રહ્યાં છે.
રાતના સમયે મુલુંડ ટોલનાકા, એરૌલી ટોલનાકા અને મુંબઇના દહિસર ટોલનાકાની કુંટેર કેબિનો પર એમએનએસ કાર્યકર્તાઓએ હુમલો કર્યો હતો. ટોલનાકાના કર્મચારીઓના અનુસાર કાર્યકર્તાઓના હાથમાં ડંડા અને સળિયા હતા.
પાર્ટીના લોકોનું કહેવું છે કે સોમવારથી પોતાનું આંદોલન તેજ કરશે. ટોલબૂથ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. એમએનએસ કાર્યકર્તાઓએ થોડા દિવસો પહેલાં ડોંબીવલીમાં એક જકાત નાકા પર તોડફોડ કરી હતી. આ કાર્યવાહી વસૂલવામાં આવતાં જકાત વિરૂદ્ધ કરવામાં આવી હતી. પોલીસે તેમના વિરૂદ્ધ કેસ પણ દાખલ કર્યો હતો તથા 20 લોકોની ધરપકડ કરી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
