મહારાષ્ટ્રમાં રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરીઃ સૂત્ર
મહારાષ્ટ્રમાં રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરીઃ સૂત્ર
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રની રાજનીતિને લઈ બહુ મહત્વના સમાચાર આવી રહ્યા છે. સૂત્રોના હવાલેથી મળેલ માહિતી મુજબ મહારાષ્ટ્રના રાજ્યપાભગત સિંહ કોશ્યારીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય કેબિનેટે પણ રાષ્ટ્રપતિ શાસનની ભલામણને મંજૂરી આપી દીધી છે. જો કે રાષ્ટ્રપતિ શાસનની ભલામણને લઈ હજુ સુધી રાજભવનથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. જ્યારે, એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે રાજભવને રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણના અહેવાલોનું ખંડન કર્યું છે.

જ્યારે સૂત્રોના હવાલેથી અહેવાલ મળ્યા છે કે જો રાજ્યપાલ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવે છે તો શિવસેના સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઉદ્ધવ ઠાકરેએ આ મુદ્દે કપિલ સિબ્બલ અને અહેમદ પટેલ સાથે વાત કરી છે. જ્યારે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનના અહેવાલોને લઈ શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ સવાલ ઉઠાવતા ટ્વીટ કર્યું કે, માનનીય રાજ્યપાલ સરકાર બનાવવા માટે એનસીપીને આપેલ સમય વિતે તે પહેલા રાષ્ટ્રપતિ સાસનની ભલામણ કેવી રીતે કરી શકે છે?
એનસીપીએ પ્રવક્તા નવાબ મલિકે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, આજે અમારી પાર્ટી એનસીપીની બેઠક થઈ. બેઠકમાં તમામ 54 ધારાસભ્યો હાજર હતા. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે રાજ્યમાં અનિશ્ચિતતાને જોતા અમે શરદ પવારને વૈકલ્પિક સરકાર પર નિર્ણય લેવાનો અધિકાર આપીશું. આના માટે એક સમિતિ બનાવવામાં આવશે, જેનું નેતૃત્વ શરદ પવાર કરશે. રાજ્યપાલે અમને કાલે સરકાર બનાવવાની દાવેદારી રજૂ કરવા માટે બોલાવ્યા હતા અને આજ રાતના 8.30 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલ, મલ્લિકાર્જુન ખડગે અને કેસી વેણુગોપાલ મુંબઈ આવી રહ્યા ચે અને તે લોકો આજે સાંજે 5 વાગ્યા સુધી શરદ પવાર સાથે મુલાકાત કરશે. તેમની સાથે ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
