નાઈટ કર્ફ્યુ અને લૉકડાઉનથી મહારાષ્ટ્રમાં ઘટવા લાગ્યા કોરોના કેસ, જાણો શું છે સ્થિતિ
મહારાષ્ટ્રમાં નાઈટ કર્ફ્યુ અને લૉકડાઉનથી કોરોના કેસમાં ઘટાડો જોઈ શકાય છે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં કાબુ થતા થતા કોરોના વાયરસ ફરીથી કોહરામ મચાવવા લાગ્યો છે. સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારે ચેતવણી આપી છે કે જો લોકોએ કોવિડ નિયમોનુ પાલન ન કર્યુ તો ફરીથી લૉકડાઉન લગાવવુ પડી શકે છે. જો કે ઘણા શહેરોમાં નાઈટ કર્ફ્યુથી લઈને લૉકડાઉન સુધી લગાવવાનુ શરૂ કરવામાં આવી ચૂક્યુ છે. વળી, સંક્રમણને રોકવા માટે કોરોનાની નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જો કે આનાથી કોરોના કેસમાં ઘટાડો જોઈ શકાય છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે તેમને કોરોનાની બીજી લહેરની ચિંતા છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોનાથી 52000 લોકોના મોત થઈ ચૂક્યા છે.

મીડિયા સાથે વાત કરીને ઠાકરેએ કહ્યુ કે કોરોનાથી બચવાનો સામાન્ય મંત્ર છે માસ્ક પહેરવુ. આ મંત્રનુ પાલન કરીને લૉકડાઉનથી બચી શકાય છે. તેમણે કહ્યુ કે આગામી 8 દિવસની અંદર ફરીથી સ્થિતિની સમીક્ષા થશે અને લૉકડાઉન પર નિર્ણય લેવામાં આવશે. મહારાષ્ટ્રના મંત્રી નિતિન રાઉતે કહ્યુ કે કોરોના વાયરસના કેસોમાં લેટેસ્ટ ઉછાળાને જોતા નાગપુર જિલ્લામાં કડક પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરીને રાઉતે કહ્યુ કે મંગળવારથી 7 માર્ચ સુધી સ્કૂલ, કૉલેજ અને કોચિંગ કક્ષાઓ બંધ રહેશે. જ્યારે આ સમય દરમિયાન શનિવાર અને રવિવારે મુખ્ય બજારો નહિ ખુલે. તેમણે કહ્યુ કે 25 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી મેરેજ હૉલ બિન ઑપરેશનલ થશે અને સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ અનુમતિ નહિ આપવામાં આવે. જિલ્લા પ્રશાસનને કોરોના ટેસ્ટ શરૂ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
અમદાવતીમાં એક સપ્તાહનુ આંશિક લૉકડાઉન
મહારાષ્ટ્રમાં વધતા કોરોનાના કેસોને જોતા અમરાવતીના ડિવિઝનલ કમિશ્નરે પાંચ જિલ્લાઓને આંશિક લૉકડાઉન લગાવ્યુ છે. આ શહેર છે - અમરાવતી, અકોલા, બુલઢાણા, વાશિમ અને યવતમાલ. આ બધા જિલ્લાઓમાં આગલા સાત દિવસ માટે આંશિક લૉકડાઉનનુ પાલન કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં 43માંથી 26 મંત્રીને કોરોના થઈ ચૂક્યો છે. આમાંથી પાંચમાં સંક્રમણની પુષ્ટિ ગયા એક સપ્તાહમાં થઈ છે. ભૂજબળ સહિત આમાં જળ સંશાધન મંત્રી જયંત પાટિલ, ખાદ્ય અને ઔષધિ પ્રશાસન મંત્રી ડૉ. રાજેન્દ્ર શિંગણે, આરોગ્ય મંત્રી રાજેશ ટોપે અને શિક્ષણ રાજ્યમંત્રી ઓમપ્રકાશ બાબારાવ કડૂ શામેલ છે. આ ઉપરાંત ઘણા ધારાસભ્ય પણ સંક્રમિત થઈ ચૂક્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
