મહારાષ્ટ્ર: શિવસેના સાથે મળી સરકાર રચવાના પ્રશ્નનો કોંગ્રેસ અધ્યક્ષે આ આપ્યો જવાબ
મહારાષ્ટ્રમાં, ભાજપ-શિવસેના જોડાણને સ્પષ્ટ બહુમતી (161 બેઠકો) મળી છે. પરંતુ, 50-50 ફોર્મ્યુલાને લઈને બંને પક્ષોમાં ઘર્ષણ છે.
મહારાષ્ટ્રમાં, ભાજપ-શિવસેના જોડાણને સ્પષ્ટ બહુમતી (161 બેઠકો) મળી છે. પરંતુ, 50-50 ફોર્મ્યુલાને લઈને બંને પક્ષોમાં ઘર્ષણ છે. દરમિયાન મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ બાલાસાહેબ થોરાટે શિવસેના વિશે મોટું નિવેદન આપ્યું છે. શિવસેના સાથે સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા પર પૂછેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે શિવસેના તરફથી તેમને હજી સુધી કોઈ પ્રસ્તાવ મળ્યો નથી.

શિવસેના તરફથી મળ્યો નથી કોઇ પ્રસ્તાવ
ગઠબંધન સરકારના સવાલ પર મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ બાલાસાહબ થોરાટે શુક્રવારે કહ્યું હતું કે શિવસેના તરફથી કોઈ દરખાસ્ત આવી નથી. પરંતુ જો આવું થાય તો તેઓ આ મામલે પાર્ટી હાઈકમાન્ડ સાથે વાત કરશે. બાલાસાહેબે કહ્યું કે પરિણામ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે જનમત ભાજપ વિરૂદ્ધ છે. અમે લોકોના ચુકાદાને સ્વીકારી લીધા છે અને એક મજબુત વિરોધપક્ષ તરીકે લોકોની સેવા કરવા તૈયાર છીએ.

જનમત સત્તા વિરૂદ્ધ છે: કોંગ્રેસ
બાલાસાહેબે કહ્યું કે, અમને ઓછી બેઠકો મળી છે. અમને લાગે છે કે આ એક લોકમત છે. અમે એમ પણ માનીએ છીએ કે પ્રજાએ અમને પાંચ વર્ષ ફરી વિપક્ષમાં બેસવાની જવાબદારી આપી છે. તેથી, આગામી પાંચ વર્ષ સુધી, કોંગ્રેસ અને એનસીપી સહિતના અમારા સાથી પક્ષો જવાબદાર વિપક્ષી પાર્ટી તરીકે કાર્યરત રહેશે. આ ચૂંટણીમાં, અમે માનીએ છીએ કે લોકોનો અભિપ્રાય સત્તા વિરુદ્ધ છે.

એક્ઝિટ પોલ માટે માફી માંગે મીડિયા
એક્ઝિટ પોલ પર વાત કરતા થોરાટે કહ્યું, 'પરિણામો પહેલા કેટલાક અનુમાન લગાવ્યા હતા. હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કે આ બધા અંદાજો ખૂબ ખોટા હતા. લોકોનો અભિપ્રાય પણ આથી પ્રભાવિત થાય છે. ચૂંટણી બાદ બે દિવસમાં મીડિયાએ બતાવેલો એક્ઝિટ પોલ ખૂબ જ ખળભળાટભર્યો હતો. મને લાગે છે કે એજન્સી કે જેને એક્ઝિટ પોલનું કામ આપવામાં આવ્યું હતું, તેણે લોકોની માફી માંગવી જોઈએ. દરમિયાન એનસીપીના પ્રમુખ શરદ પવારે આ પ્રકારના મહાગઠબંધનની શક્યતાને નકારી હતી અને કહ્યું હતું કે અમે મજબુત વિપક્ષની ભૂમિકા નિભાવીશું.
આ પણ વાંચો: હરિયાણામાં ભાજપ-JJPની સરકાર, ચૌટાલાની પાર્ટીના ડેપ્યૂટી સીએમ












Click it and Unblock the Notifications
