ઔરંગાબાદ ટ્રેન દૂર્ઘટનાઃ પાટા પર વિખેરાયેલી પડી છે ક્યાંક રોટલીઓ તો ક્યાંક લાશો
શુક્રવારની સવારે મહારાષ્ટ્રમાં એક ખૂબ જ દર્દનાક સમાચાર આવ્યા, અહીંના ઔરંગાબાદમાં રેલવેના પાટા પર 16 પ્રવાસી મજૂરોને એક માલગાડીએ કચડી નાખ્યા.
શુક્રવારની સવારે મહારાષ્ટ્રમાં એક ખૂબ જ દર્દનાક સમાચાર આવ્યા, અહીંના ઔરંગાબાદમાં રેલવેના પાટા પર 16 પ્રવાસી મજૂરોને એક માલગાડીએ કચડી નાખ્યા. ઔરંગાબાદના જાલના રેલવે લાઈન પાસે આ દૂર્ઘટનામાં 5 અન્ય મજૂર પણ ઘાયલ થયા છે. જેમનો ઈલાજ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. આ દૂર્ઘટના ઔરંગાબાદ-જાલના રેલવે લાઈન પર શુક્રવારે 5.15 વાગે બની, મૃતકોમાં મજૂરોના બાળકો પણ શામેલ છે.

કોને ખબર હતી... આ સફર બની જશે અંતિમ સફર
બધા મજૂર એક સ્ટીલ ફેક્ટરીમાં કામ કરતા હતા અને ઔરંગાબાદથી ગામ જતી ટ્રેન પકડવા માટે જાલનાથી ઔરંગાબાદ પગપાળા જઈ રહ્યા હતા, મોડી રાત થઈ જવાના કારણે બધાએ સટાના શિવાર વિસ્તારમાં પાટા પર જ સૂઈ ગયા. સવારે આ પાટા પર એક માલગાડી પસાર થઈ અને 16 મજૂરો તેની ચપેટમાં આવી ગયા. આંખોમાં ઘરે જવાનુ સપનુ લઈને આ મજૂરો જ્યારે પોતાના બાળકો સાથે કાલે ગાડી પકડવા માટે નીકળ્યા હતા તો તેમને જરા પણ અહેસાસ નહિ હોય કે આ સફર તેમની જિંદગીની અંતિમ સફર બની જશે.

ઔરંગાબાદમાં રેલવેપાટા પર કપાઈને મજૂરોના મોત
ઘટના સ્થળના ભયાનક દ્રશ્યો દરેકનુ હ્રદય કંપાવી દેનારા છે. આજે સવારે ટ્રેક પર ઠેર ઠેર લાશો વિખેરાયેલી પડી હતી અને આ લાશો સાથે મજૂરોનો સામાન પણ ફેલાયેલો પડ્યો હતો. બેગમાંથી નીકળેલી રોટલીઓ, કપડા અને પાણીની બોટલો આ દર્દનાક દૂર્ઘટનાની કહાની કહી રહી હતી.

માર્યા ગયેલા મજૂરોની થઈ ઓળખ
તમને જણાવી દઈએ કે ઔરંગાબાદ દૂર્ઘટનામાં માર્યા ગયેલા મજૂરોની ઓળખ થઈ ગઈ છે. આમાં શહડોલના અચ્છેલાલ રામેશ્વર કાછી, સુરેશ મોલઈ કોલ, ધર્મેન્દ્ર જેંતરાજ સિંહ, બ્રજેશ ગજરજ ગોંડ, અજિત જીવન સિંહ, ઈન્દ્રકુમાર આલગુ, ગેન્દ્ર ચેન સિંહ, રાજબબાહોરન પારસ સિંહ, બ્રજેશ ભેયદિન સિંહ, મુનીમ શિવ રતન સિંહ, નીમશાહચિન્મરુ સિંહ, શિવદયાલ ગજરજ સિંહ છે.

શિવરાજ સિંહે કર્યુ વળતરનુ એલાન
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઔરંગાબાદ રેલ દૂર્ઘટનામાં માર્યા ગયેલા મધ્ય પ્રદેશના પ્રવાસી મજૂરોના આશ્રિતોને પાંચ પાંચ લાખ રૂપિયાનુ વળતર આપવાનુ એલાન કર્યુ છે. તેમણે ટ્વિટ કર્યુ છે કે ઔરંગાબાદથી પોતાના ઘરે પાછા આવી રહેલ ઘણા શ્રમિક ભાઈઓનુ ટ્રેન દૂર્ઘટનામમાં આકસ્મિક નિધન થઈ ગયાના દુઃખદ સમાચાર મળ્યા છે. ઈશ્વરે દિવંગત આત્માઓની શાંતિ અને પરિજનોને આ ઉંડુ દુઃખ સહન કરવાની શક્તિ આપે તથા ઘાયલોના ત્વરિત સ્વસ્થ થવાની પ્રાર્થના કરુ છુ. વિનમ્ર શ્રદ્ધાંજલિ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
