મનસુખ હીરેન હત્યા કેસમાં મહારાષ્ટ્ર ATSએ જપ્ત કરી ગાડી, થશે ફોરેંસિક તપાસ
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર મળેલ કારના માલિક મનસુખ હિરેનની હત્યા સંદર્ભે મહારાષ્ટ્ર એટીએસ દ્વારા વોલ્વો કાર કબજે કરવામાં આવી છે. મંગળવારે મહારાષ્ટ્ર એટીએસ ચીફને માહિતી મળી છે કે આ કાર દમણ પાસેથી કબજે કરવ
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર મળેલ કારના માલિક મનસુખ હિરેનની હત્યા સંદર્ભે મહારાષ્ટ્ર એટીએસ દ્વારા વોલ્વો કાર કબજે કરવામાં આવી છે. મંગળવારે મહારાષ્ટ્ર એટીએસ ચીફને માહિતી મળી છે કે આ કાર દમણ પાસેથી કબજે કરવામાં આવી છે. જે બાદ તેને ફોરેન્સિક તપાસ માટે મુંબઈ લાવવામાં આવી છે.

મનસુખ હિરેનની મોત મામલે એટીએસએ પહેલી કાર કબજે કરી છે. અગાઉ એન્ટિલિયા કેસમાં પાંચ વાહનો કબજે કરવામાં આવ્યા છે. કેન્દ્રીય તપાસ એજન્સી એનઆઈએ મનસુખ હિરેનનાં મોતની તપાસ કરી રહી છે.
ફેબ્રુઆરીમાં મુકેશ અંબાણીના ઘરની બહાર એક સ્કોર્પિયો કાર મળી હતી. જેમાં તપાસ બાદ કેટલાક વિસ્ફોટક મળી આવ્યા હતા. થોડા દિવસો બાદ કારનો માલિક મનસુખ હિરેનનો મૃતદેહ થાણેથી મળી આવ્યો હતો. આ કેસને પહેલા આત્મહત્યા કહેવાયો હતો પરંતુ બાદમાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. આ સમગ્ર મામલામાં ઘણી ધરપકડ કરવામાં આવી છે. જેમાં મુંબઈ પોલીસ અધિકારી સચિન વાજે પણ શામેલ છે. જેની 13 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે એનઆઈએની કસ્ટડીમાં છે.
મુકેશ અંબાણીના મુંબઇ સ્થિત ઘરની બહાર કારની બહાર વિસ્ફોટક મળી આવ્યા બાદ એનઆઈએને તપાસ સોંપવામાં આવી હતી, ત્યારબાદ કારના માલિકનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ પોલીસ અધિકારી સચિન વાજેનું નામ આવ્યું હતું. મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે સચિન વાજે અને અનિલ દેશમુખ પર કરોડોની ઉચાપતનો આરોપ પણ લગાવ્યો છે. જે બાદ હવે આ કેસમાં મની લોન્ડરિંગ એંગલની પણ તપાસ કરવામાં આવશે. ઇડી તેની તપાસ કરશે. આ સાથે જ પરમબીરસિંહે પણ આ કેસ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને સીબીઆઈને આ સમગ્ર મામલાની તપાસ કરવા જણાવ્યું છે.
આ પણ વાંચો: નવનીત કૌરે શિવસેનાના સાંસદ વિરૂદ્ધ પીએમ મોદી અને અમિત શાહ ને લખી ચિઠ્ઠી
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
