Maharashtra Elections 2024 : મહારાષ્ટ્રમાં કોને લાભ-કોને નુકસાન? જાણો શું કહે NCP નો સર્વે?
Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી ગમે ત્યારે જાહેર થઇ શકે છે. લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ બીજેપી, અજીત પવાર અને શિંદેની શિવસેના વાળી મહાયુતિએ પુરી તાકાત લગાવી દીધી છે.
ચૂંટણીની જાહેરાત પહેલા ચૂંટણીમાં કઈ પાર્ટીને કેટલો લાભ થશે અને કેટલું નુકસાન એ તો મહારાષ્ટ્રમાં કરવામાં આવેલ તાજેતરના સર્વે ખુલાસો થયો છે.

લોકસભા ચૂંટણીમાં અજીત પવારની આગેવાની હેઠળની એનસીપીનું પ્રદર્શન અન્ય પાર્ટીઓની તુલનામાં સૌથી ખરાબ રહ્યું છે. આને ધ્યાનમાં રાખીને પાર્ટીએ વિધાનસભા ચૂંટણી પહેલા એક આંતરિક સર્વે કરાવ્યો છે.
આ સર્વેમાં જેમાં મહાયુતિ અને એનસીપી સારૂ પ્રદર્શન કરવા જઈ રહી હોવાના સંકેત મળ્યા છે. સર્વે અનુસાર, અજીત પવારની એનસીપી હાલ 23 સીટો જીતી શકે છે.
Mahayuti : વધારે મહેનતની જરૂર
અજીત પવારે જૂન 2023ના શરદ પવાર સાથે ગદ્દારી કરીને સાથ છોડી દીધો હતો અને તે પોતાના 40 વિધાનસભા સભ્યો સાથે અલગ થઈ ગયા હતા. આ વિધાનસભા ચૂંટણીમાં આ તમામ સભ્યોના જીતવાના શક્યતાઓ ખૂબ જ ઓછી જણાઈ રહી છે.
સર્વેમાં એનસીપીને 23 સીટો જીતવાની આગાહી કરવામાં આવી છે પરંતુ પાર્ટીને 16 એવી વિધાનસભા સીટો છે જ્યાં સૌથી વધારે મહેનત કરવાની જરૂર છે.
Maharashtra Election Survey : 70 સીટો પર સર્વે કરાયો
આ ઉપરાંત 31 એવી વિધાનસભા છે જ્યાં પાર્ટીના માટે સ્થિતિ અનુકૂળ નથી. આ 31 વિધાનસભા સીટોમાં 21 જગ્યાએ પાર્ટીને જીતવા માટે તેના સાથીઓની જરૂર રહેશે. આ 21 સીટો પર અજીત પવારના ઉમેદવારો ત્યારે જ જીતશે જ્યારે ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના ના મત એનસીપીને મળશે.
10 અન્ય વિધાનસભાઓ એવી છે જ્યાં એનસિપીને પોતાના વિરોધીઓ સામે નબળી છે. અજીત પવારની એનસીપીએ 70 સીટો માગી છે અને એટલે જ પાર્ટીએ આ 70 સીટો પર સર્વે પણ કરાવ્યો છે. આ સર્વેના દ્વારા મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનની સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી છે.
Maha Vikas Aghadi : અગાઉના આંકડાઓ શું કહે છે?
સપ્તેમ્બરમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. તે સર્વેમાં રાજ્યની 39.3 ટકા જનતા મહાયુતિના સમર્થનમાં હતી. જ્યારે ઓગસ્ટના સર્વેમાં આ આંકડો 37.01 ટકા હતો.
કોંગ્રેસ, શરદ પવારની એનસીપી અને શિવસેના (ઉદ્ધવ ગઠ) વિશે વાત કરીએ તો 42.43 ટકા જનતાએ MVAને સમર્થન આપ્યું હતું. જુલાઈમાં 34.68 ટકા જનતા મહાયુતિના સમર્થનમાં આવી હતી, જ્યારે MVAના સમર્થનમાં 43.2 ટકા લોકો હતા. આ સ્થિતીમાં બીજેપી અને સાથી પક્ષો માટે સ્થિતી કપરી છે.
સર્વેને લઈને એનસીપીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, પહેલા તેમને માત્ર 6 સીટોમાં બઢત મળી હતી પરંતુ હાલ આ આંકડો 23 સુધી પહોંચ્યો છે. તેમણે કહ્યું કે વિધાનસભાની ચૂંટણીમાં તેમની પાર્ટી 23 સીટોને સરળતાથી જીતી શકે છે, 16 સીટો પર વધુ મહેનત કરવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે, શિવસેના અને ભાજપના સહકારથી તે બાકીના સીટો પણ જીતી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
