અમિત શાહે એનડીએ નેતાઓને ડિનર પર બોલાવ્યા, કાલે કેબિનેટ બેઠક થશે
લોકસભા ચૂંટણીના સાતે તબક્કાનું મતદાન પૂરું થઇ ગયું છે. મતદાન પૂરું થયા પછી મોટાભાગના એક્ઝીટ પોલમાં ભાજપના નેતૃત્વના એનડીએ ગઠબંધનને બહુમત મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
લોકસભા ચૂંટણીના સાતે તબક્કાનું મતદાન પૂરું થઇ ગયું છે. મતદાન પૂરું થયા પછી મોટાભાગના એક્ઝીટ પોલમાં ભાજપના નેતૃત્વના એનડીએ ગઠબંધનને બહુમત મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ખબર આવી રહી છે કે અમિત શાહે એનડીએ નેતાઓ માટે કાલે (મંગળવારે) ડિનર પાર્ટીનું આયોજન કર્યું છે, જેમાં સરકારના બધા જ મંત્રીઓ શામિલ થશે.
આ પણ વાંચો: જે 3 રાજ્યોથી નક્કી થવાની છે સરકાર ત્યાં એક્ઝીટ પોલ બતાવી રહ્યુ છે મોટુ અંતર
|
એનડીએ નેતાઓની બેઠક
ન્યુઝ એજેન્સી એએનઆઈ અનુસાર મંગળવારે એનડીએ નેતાઓની બેઠક થઇ શકે છે. ભાજપા અધ્યક્ષ અમિત શાહની એનડીએ નેતાઓ સાથે ડિનર પર મુલાકાત થશે, જયારે કેન્દ્રીય કેબિનેટ બેઠક પણ કાલે થવા જઈ રહી છે. આપને જણાવી દઈએ કે કાલે 19 મેં દરમિયાન લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન પૂરું થયું છે અને 23 મેં દરમિયાન પરિણામ જાહેર કરવામાં આવશે.

એક્ઝીટ પોલમાં એનડીએ સરકાર બનતી જોવા મળી રહી છે
આપને જાણાવી દઈએ કે રવિવારે સાંજે વોટિંગ પત્યા પછી એક્ઝીટ પોલમાં એનડીએ સરકાર બનતી જોવા મળી રહી છે. મોટાભાગના પોલમાં એનડીએ બહુમત મેળવશે, તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એક્ઝીટ પોલ અંગે વિપક્ષી દળો ઘ્વારા પણ પ્રતિક્રિયા આવી રહી છે. તેમને આ એક્ઝીટ પોલ ખોટા ગણાવ્યા છે.

વિપક્ષી દળો ઘ્વારા પણ રણનીતિ
ચૂંટણી પરિણામો પહેલા સરકાર બનાવવા અંગે વિપક્ષી દળો ઘ્વારા પણ રણનીતિ બનાવવામાં આવી રહી છે. આંધ્રપ્રદેશ સીએમ ચંદ્રાબાબુ નાયડુએ સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપા અધ્યક્ષ માયાવતી સાથે મુલાકાત કરી હતી જયારે યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ પણ એક બેઠક બોલાવી છે. લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા બધી જ પાર્ટીઓ પોતાની જીતના દાવાઓ કરી રહ્યા છે. એક તરફ કોંગ્રેસ યુપીએ નેતૃત્વમાં સરકાર બનાવવાના દાવા કરી રહી છે, જયારે બીજી બાજુ ભાજપા પણ ફરી સરકારમાં આવવાના દાવા કરી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
