કોંગ્રેસનો પલટવાર, ઘોષણાપત્રના કવર પર જ દેખાઈ રહ્યો છે બંને પક્ષનો ફરક
ભારતીય જનતા પાર્ટીના લોકસભા ચૂંટણી 2019 માટે જાહેર કરેલ ઘોષણાપત્ર વિશે કોંગ્રેસે નિશાન સાધ્યુ છે.
ભારતીય જનતા પાર્ટીના લોકસભા ચૂંટણી 2019 માટે જાહેર કરેલ ઘોષણાપત્ર વિશે કોંગ્રેસે નિશાન સાધ્યુ છે. કોંગ્રેસ નેતા અહેમદ પટેલે કહ્યુ કે ભાજપ માત્ર એક વ્યક્તિમાં સમેટાઈ ગઈ છે અને તેમના ઘોષણાપત્રમાં પણ 'હું' જ દેખાય છે. પટેલે કોંગ્રેસ અને ભાજપના ઘોષણાપત્રને બતાવતા કહ્યુ કે, 'તેમના ઘોષણાપત્રના કવર પર માત્ર એક (નરેન્દ્ર મોદી)નો ચહેરો છે જ્યારે અમારા ઘોષણાપત્રમાં જનસમૂહ છે, દેશના લોકોની ભીડ છે. બંને પાર્ટીઓ વચ્ચેના વિચારોમાં ફરક છે. અમારા માટે જનતા મહત્વની છે ત્યાં એક વ્યક્તિ.'

ઘોષણાપત્ર જાહેર કર્યા બાદ પોતાના સંબોધનમાં ભાજપના નેતા સુષ્મા સ્વરાજે કહ્યુ હતુ તે કોંગ્રેસ અને ભાજપના સંકલ્પપત્રમાં મોટો ફરક છે. મીડિયાના લોકો અમારા ઘોષણાપત્રના શીર્ષક અને બીજી પાર્ટીઓના શીર્ષકમાં અંતર સમજે અને તેમની તુલના પણ કરે. બાકી પાર્ટીઓ ઘોષણાપત્ર લઈને આવી છે પરંતુ અમે સંકલ્પપત્ર લઈને આવ્યા છે.
ભાજપના ઘોષણા પત્ર પર કોંગ્રેસે કહ્યુ કે આ ઝાંસાપત્ર અને જુઠનો ફુગ્ગો છે. એના કરતા ભાજપ માફીનામુ જાહેર કરી લેત તો સારુ રહેત. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે છેલ્લા 5 વર્ષોમાં ભાજપે કંઈ નથી કર્યુ. અહેમદ પટેલે કહ્યુ કે ભાજપનું ઘોષણાપત્ર સાઈટ પર જ રહી જાય છે. ક્યારેક ચાવાળા, ક્યારેક ચોકીદાર, ક્યારેક કામદાર અને ક્યારેક ફકીર અને ક્યારેક કંઈક બીજુ કહીને દેશના લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. હવે આ ચાલવાનું નથી. લોકોને હંમેશા ગુમરાહ કરી શકાય નહિ. પટેલે કહ્યુ કે ભાજપ જે વચનો આપે છે તે ક્યારેય નિભાવતી નથી. 5 વર્ષોમાં ભાજપે હિસાબ આપવો જોઈએ કે બેરોજગારી, ખેડૂતો, વેપારીઓ માટે જે વચનો આપ્યા તેમનું શું થયુ. રોજગાર માટે કોઈ ઠોસ પગલાં આમાં નથી. ભાજપના આ ઘોષણાપત્રને દેશ સાથે કોઈ લેવાદેવા નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
