કોઈ પાર્ટીને નહિ મળે પૂર્ણ બહુમત, મમતા બેનર્જીને ગણાવ્યા બેસ્ટ PM ઉમેદવારઃ સૌગત રૉયનો દાવો
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ મોટો દાવો કર્યો છે. શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના 76 વર્ષીય સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સૌગત રૉયના દાવાથી રાજકીય હલચલ વધી ગઈ છે. તેમણે દાવો કર્યો છે કે લોકસભા ચૂંટણીમાં કોઈપણ પક્ષ પૂર્ણ બહુમતી મેળવી શકશે નહીં. સાથે જ તેમણે મમતા બેનર્જીને પીએમ પદ માટે શ્રેષ્ઠ દાવેદાર ગણાવ્યા છે.
સૌગત રૉયે કહ્યું કે આ લોકસભા ચૂંટણીમાં તૃણમૂલના લગભગ 30 સાંસદો જીતશે અને આ જીતમાં મમતા એક મોટું પરિબળ હશે. તેમણે કહ્યું કે મમતા પાસે તે બધું છે જે એક વ્યક્તિમાં દેશના આગામી વડાપ્રધાન બનવા માટે હોવું જોઈએ. ટીએમસી નેતાએ કહ્યું કે મુખ્યમંત્રી તરીકે મમતા બેનર્જીએ આ વાત ત્રણ વખત સાબિત કરી છે.

ટીએમસીએ સૌગત રૉયને ચોથી વખત લોકસભાની ટિકિટ આપી છે. 4 વખતના સાંસદ સૌગત રૉય પણ લોકસભા ચૂંટણી 2024માં બંગાળના સૌથી મોટી ઉંમરના ઉમેદવાર છે. તેમણે કહ્યું, "સાંસદ તરીકે આ મારો ચોથો કાર્યકાળ છે. હું એક વખત બેરકપુરથી સાંસદ પણ રહી ચુક્યો છું. જ્યારે હું 1977માં પહેલીવાર સાંસદ બન્યો ત્યારે મેં તે સમયના મહાનુભાવો મોરારજી દેસાઈ અને ચૌધરી ચરણ સિંહને જોયા હતા. હવે આવા દિગ્ગજો રાજકારણમાં જોવા મળતા નથી."
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સૌગત રૉયે ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધતા ભાજપના બંગાળની જીતના દાવા પર કહ્યું કે, "ભાજપને પશ્ચિમ બંગાળમાં ઉમેદવાર નથી મળી રહ્યા. એક ઉમેદવાર મેદાન છોડીને ભાગી ગયો. હવે તેઓ આસનસોલથી એસએસ અહલુવાલિયાને લાવ્યા છે. તેમણે પોતાના લોકસભા ક્ષેત્રમાં કંઈ કર્યું નથી, તેથી ભાજપે તેમને દાર્જિલિંગથી વર્ધમાન સુધી મેદાનમાં ઉતાર્યા છે અને હવે સજા તરીકે, તેમણે આસનસોલથી ચૂંટણી લડાવી છે. ભાજપને હજુ પણ ડાયમંડ હાર્બર માટે ઉમેદવાર મળ્યો નથી."
પોતાની વાતને આગળ વધારતા ટીએમસી સાંસદે કહ્યું, "અમિત શાહ એક સમયે પશ્ચિમ બંગાળમાં 35 બેઠકો જીતવાનો દાવો કરતા હતા, હવે તેઓ 30 બેઠકો કહેવા લાગ્યા છે. વાસ્તવમાં સત્ય એ છે કે ભાજપ પાસે કોઈ ઉમેદવારો નથી."
ટીએમસીના સૌથી જૂના નેતા સૌગત રોયે સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમ પરના હુમલા વિશે કહ્યું, "હું કોઈ સરકારી અધિકારી પર હુમલાનું સમર્થન કરતો નથી. આ બધું અચાનક થયું."
તેમણે આગળ કહ્યું, "સંદેશખાલીની ઘટના ચોક્કસપણે ટીએમસી માટે આઘાતજનક હતી પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે બંગાળ પોલીસે જ શેખ શાહજહાંની ધરપકડ કરી હતી. મમતા બેનર્જીએ પરિસ્થિતિને સારી રીતે સંભાળી હતી. જો કોર્ટ ઇચ્છે તો સીબીઆઈને કેસ સોંપી શકે છે. મહિલાઓના આરોપોની તપાસ જરૂરી છે, પરંતુ સીબીઆઈની સફળતાનો દર કેટલો છે?
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
