કાશીરામ, અડવાણી અને પ્રણવ મુખર્જીને મળી શકે છે ભારત રત્ન
સૂત્રો મુજબ સરકાર પૂર્વ ઉપપ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સમ્માનિત કરી શકે છે. જ્યારે કદાવર દલિત નેતા કાશીરામ સાથે સાથે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ભારત રત્નથી સમ્માનિત કરી શકે છે.
ભારતીય નાગરિકને અપાતા સર્વોચ્ચ નાગરિક સમ્માન 'ભારત રત્ન' ની ઘોષણા આ વર્ષે થશે તો કેટલાક રસપ્રદ નામો સામે આવી શકે છે. ઈતિહાસમાં પહેલી વાર એવુ બનશે જ્યારે ભારત રત્ન માટે 4 નામોની ઘોષણા કરવામાં આવશે. આ પહેલા વર્ષ 1954 માં ત્રણ વ્યક્તિઓને ભારત રત્નના સમ્માનથી નવાજવામાં આવ્યા હતા.

આ વર્ષે 4 લોકોને આપવામાં આવી શકે છે ભારત રત્ન
સૂત્રો મુજબ સરકાર પૂર્વ ઉપપ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સમ્માનિત કરી શકે છે. જ્યારે કદાવર દલિત નેતા કાશીરામ સાથે સાથે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને પણ સરકાર ભારત રત્નથી સમ્માનિત કરી શકે છે. આ ઉપરાંત એક નામ દક્ષિણ ભારતથી પણ છે.

રાજકીય લાભ પણ લેવા ઈચ્છશે ભાજપ
કાશીરામને ભારત રત્ન આપવાની માંગ ઘણા લાંબા સમયથી કરવામાં આવી રહી છે. કાશીરામને ભારત રત્ન તેમણે દલિત સમાજના ઉત્થાન માટે કરેલા પ્રયાસોને જોતા આપવામાં આવી શકે છે. ઘણા દલિત સંગઠન આ માંગ સતત કરતા આવ્યા છે. જ્યારે પૂર્વ ઉપપ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને દેશની રાજનીતિમાં તેમના યોગદાન માટે સમ્માન આપવામાં આવી શકે છે. વળી, કાશીરામને ભારત રત્નથી સમ્માનિત કરાયા બાદ ભાજપ આનો રાજકીય લાભ લેવા પણ ઈચ્છશે કારણકે હાલમાં ઘણી એવી ઘટનાઓ બાદ ભાજપ પર દલિતો વિરોધી હોવાનો આરોપ પણ લાગ્યો છે. જેના કારણે પક્ષની ઘણી ટીકા પણ થઈ છે. આ પ્રકારે પ્રણવ મુખર્જીને ભારત રત્નથી સમ્માનિત કરાયા બાદ પશ્ચિમ બંગાળમાં ભાજપને આનો ફાયદો મળી શકે છે.

ભારતનું સર્વોચ્ચ નાગરિક સમ્માન છે ભારત રત્ન
ભારત રત્ન કોઈ પણ ભારતીય નાગરિકને તેના ઉલ્લેખનીય યોગદાન માટે આપવામાં આવે છે. શરૂઆતમાં આ સમ્માન કલા, સાહિત્ય, વિજ્ઞાન અને પબ્લિક સેવા ક્ષેત્ર સાથે જોડાયેલી હસ્તીઓને જ આપવામાં આવતુ હતુ. પરંતુ ત્યારબાદ સરકારે 2011 માં આમાં માનવીય પ્રયાસોને પણ શામેલ કર્યા. ભારત રત્ન માટે નામોની ભલામણ દેશના પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રપતિ સમક્ષ કરવામાં આવે છે. દર વર્ષે વધુમાં વધુ 3 નામ ભારત રત્ન માટે મોકલવામાં આવે છે પરંતુ આ વખતે પહેલી વાર 4 નામોની ચર્ચાઓએ જોર પકડ્યુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
