પાસવાનની મોદીને ચિઠ્ઠી- દલિતોમાં ગુસ્સો, એનજીટી ચેરમેનપદેથી જસ્ટીસ ગોયલને હટાવો
લોક જનશક્તિ પાર્ટીના સાંસદ ચિરાગ પાસવાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખીને જસ્ટીસ એ કે ગોયલને એનજીટીના ચેરમેનપદેથી બરખાસ્ત કરવાની માંગ કરી છે.
લોક જનશક્તિ પાર્ટીના સાંસદ ચિરાગ પાસવાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખીને જસ્ટીસ એ કે ગોયલને એનજીટીના ચેરમેનપદેથી બરખાસ્ત કરવાની માંગ કરી છે. જસ્ટીસ ગોયલે એસસી-એસટી એક્ટ અંગે ચૂકાદો આપ્યો હતો. આમાં તેમણે તપાસ પહેલા આ એક્ટ હેઠળ ધરપકડ પર રોક લગાવી દીધી હતી. આ ચૂકાદા અંગે દલિતોએ ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને 2 એપ્રિલે ભારત બંધનું એલાન આપ્યુ હતુ. ચિરાગ પાસવાને પોતાની ચિઠ્ઠીમાં કહ્યુ છે કે દલિતોમાં ગોયલને એનજીટીના ચેરમેન બનાવવા માટે ગુસ્સો છે અને આ અંગે 9 ઓગસ્ટે થનારા દલિતોનું વિરોધ પ્રદર્શન 2 એપ્રિલથી પણ વધુ આક્રમક હશે.

સરકારના સહયોગી દળ લોજપાના સાંસદ ચિરાગ પાસવાને અનુસૂચિત જાતિ અને જનજાતિના મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં કહ્યુ છે કે 20 માર્ચના રોજ સુપ્રિમ કોર્ટના જજ એકે ગોયલે એસસી-એસટી અધિનિયમ પર ચૂકાદો સંભળાવ્યો જે અંગે અનુસૂચિત જાતિ અને જનજાતિ સમુદાયમાં અસંતોષ અને આક્રોશ છે. એક વાર ફરીથી અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગે ભારત બંધનું આહવાન કર્યુ છે જેના કારણે સરકારે આનૈ પર ધ્યાન આપવાની જરૂરત છે.
જસ્ટીસ ગોયલની નિયુક્તિ અંગે ચિરાગ પાસવાનના પિતા કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન પણ સવાલ ઉઠાવી ચૂક્યા છે. રામવિલાસ પાસવાને કહ્યુ છે કે ગોયલની નિયુક્તિ કરવાથી સમાજમાં ખોટો સંદેશ ગયો છે અને આ અંગે દલિત સાંસદોએ ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રિમ કોર્ટની એકે ગોયલ અને યુયુ લલિતની ખંડપીઠે ચૂકાદો આપ્યો હતો કે એસસી-એસટી એક્ટ હેઠળ કથિત ઉત્પીડનની ફરિયાદ અંગે ત્વરિત ધરપકડ નહિ થાય અને પ્રારંભિક તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે. એકે ગોયલ 6 જુલાઈના રોજ સુપ્રિમ કોર્ટમાંથી રિટાયર થયા હતા અને સરકારે તે જ દિવસે તેમને એનજીટીના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
