અયોધ્યા આતંકી હુમલાના કેસમાં ચારને આજીવન જેલ, એક નિર્દોષ છૂટ્યો
અયોધ્યા આતંકી હુમલાના કેસમાં ચારને આજીવન જેલ, એક નિર્દોષ છૂટ્યો
પ્રયાગરાજઃ ઉત્તર પ્રેદશના અયોધ્યામાં 5 જુલાઈ 2005ના રોજ થયેલ આતંકી હુલમામાં અદાલતે આજે 18 જુનના રોજ ચાર દોષિતોને ઉંમરકેદની સજા સંભળાવી છે. પ્રયાગરાજ સ્પેશિયલ કોર્ટે મામલામાં એક આરોપીને છોડી મૂક્યો છે. કેસની સુનાવણી પૂરી થયા બાદ 9 જૂને કોર્ટે પોતાનો ફેસલો સુરક્ષિત રાખતા 18 જૂને ફેસલો સંભળાવવાની તારીખ જાહેર કરી હતી. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પરિસરમાં 14 વર્ષ પહેલા પાંચ જુલાઈ 2005ના રોજ આતંકી હુલમો થયો હતો.

યૂપીના અયોધ્યા સ્થિત રામ જન્મભૂમિ પરિસરમાં પાંચ જુલાઈ 2005ના રોજ આતંકીઓએ હુલમો કર્યો હતો. સવારે લગભગ નવ વાગીને 15 મિનિટ પર સુરક્ષાબળોએ આતંકીઓનું એન્કાઉન્ટર શરૂ કર્યું હતું. એન્કાઉન્ટરમાં પાંચેય આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. ઘટનાને પગલે 2 નાગરિકો પણ મૃત્યુ પામ્યા હતા અને સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અથડામણમાં મોતને ઘાટ ઉતરનાર આતંકીઓ પાસેથી મોબાઈલ મળ્યો હતો જેની કોલ ડિટેલથી આતંકી હુમલાનું ષડયંત્ર રચનાર આતંકીઓના 5 સાથી, આશિક ઈકબાલ ઉર્ફ ફારુખ, મો.નસીમ, મો. અજીજ, શકીલ અહમદ અને ડૉ. ઈરફાનની ધરપકડ કરવામાં આવી. તમામને પહેલા ફૈઝાબાદ જેલ મોકલવામાં આવ્યા. જે બાદ 2006માં હાઈકોર્ટના આદેશ પર કેન્દ્રીય કારાગાર નૈની મોકલવામાં આવ્યા. સુરક્ષા કારણોસર આતંકીઓ પર નૈની જેલમાં જ વિશેષ અદાલત લગાવીને અત્યાર સુધીની સુનાવણી થઈ જેમાં આજે ફેસલો આવ્યો છે.
આ મામલે જિલ્લા ન્યાયાલય ફૈઝાબાદ/અયોધ્યાએ પાંચ અભિયુક્તો વિરુદ્ધ 19 ઓક્ટોબર 2006ના રોજ આોપ નક્કી કર્યા હતા. કેસની પત્રાવલી આઠ ડિસેમ્બર 2006ના રોજ હાઈકોર્ટના આદેશ પર સુનાવણી માટે જિલ્લા ન્યાયાલય અલ્હાબાદ /પ્રયાગરાજ અંતરિત થઈ આવી હતી. સુરક્ષા કારણોસર કેસની સુનાવણી નૈની જેલ પરિસરમાં જ શરૂ થઈ હતી. આ કેસમાં કુલ 63 સાક્ષીઓએ પોતાની જૂબાની આપી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
