લાલુ પ્રસાદ યાદવની તબિયત બગડી, બંને કિડનીમાં ચેપ લાગ્યો
950 કરોડના ઘાસચારા કૌભાંડમાં 14 વર્ષની કેદની સજા ફટકાર્યા બાદ ન્યાયિક કસ્ટડીમાં રાંચી રિમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લાલુ યાદવની તબિયત પ્રતિદિન ખરાબ થઇ રહી છે.
આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી, 950 કરોડના ઘાસચારા કૌભાંડમાં 14 વર્ષની કેદની સજા ફટકાર્યા બાદ ન્યાયિક કસ્ટડીમાં રાંચી રિમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લાલુ યાદવની તબિયત પ્રતિદિન ખરાબ થઇ રહી છે. તેમને બંને કિડનીમાં ચેપ લાગ્યો છે.

લાલુ પ્રસાદ યાદવની તબિયત બગડી
તેમના બ્લડ પ્રેશર અને બ્લડ શુગરમાં વધારો થવાને કારણે, તેમણે તેમના ખોરાકનું સેવન ઓછું કર્યું છે, જ્યારે લાલુ પ્રસાદ યાદવના સ્વાસ્થ્ય વિશે વાત કરતા, મુખ્ય ચિકિત્સક ડો. ઉમેશ પ્રસાદે રાંચીમાં કહ્યું હતું કે, બંને કિડનીના ચેપ મળી આવ્યા છે અને તેમનું બ્લડ પ્રેશર અને બ્લડ સુગર પણ સ્થિર નથી, જેના માટે તેમને દવા આપવામાં આવી રહી છે. ડોક્ટરો અનુસાર લાલુ પ્રસાદ યાદવનું કિડની લેવલ 37 ટકા કામ કરી રહ્યું છે તેમની કિડનીને 63 ટકા જેટલું નુકશાન પહોંચ્યું છે તેમના લોહીમાં પણ ચેપ છે.

રોજ ચાર ઈંડા ખાઈ રહ્યા છે લાલુ યાદવ
ડોકટરોના જણાવ્યા અનુસાર, થોડા સમય પહેલા લાલુને ફોડો થયો હતો, જેની તપાસ કરવામાં આવી હતી, તે જ સમયે, તેમને તેના ચેપ વિશે જાણ થઈ હતી, હાલ લાલુ યાદવની સારવાર ચાલી રહી છે. અગાઉ એવા અહેવાલ મળ્યા હતા કે લાલુ પ્રસાદ યાદવ તેમની કિડની ફીટ કરવા માટે દરરોજ ચાર ઇંડા ખાઈ રહ્યા છે.

ખાવા પીવામાં ઘણી પરેજી
લાલુ યાદવને વરસાદની મોસમમાં ખાસ સાવચેતી રાખવા જણાવ્યું છે. તેમને વધુ ખાવાનું ટાળવાનું કહેવામાં આવ્યું છે. હોસ્પિટલના ડોક્ટર ડીકે ઝાએ જણાવ્યું કે લાલુ યાદવ છેલ્લા કેટલાક દિવસોથી સતત કેરી ખાતા હતા, જેના કારણે તેમનું સુગર વધી ગયું. તેમને નિયંત્રિત કરવા માટે તેમને ઇન્સ્યુલિન આપવામાં આવી રહ્યું છે. જે બાદ હવે લાલુ યાદવને કેરી ખાવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

નોનવેજ ખાવા પર પ્રતિબંધ
લાલુ યાદવને નોન-વેજ ખાવા પર ડોકટરોએ પહેલેથી જ પ્રતિબંધ લગાવી દીધો હતો. ડોકટરોએ કહ્યું કે આવું ખાવાથી શુગરનું સ્તર ઝડપથી વધી જાય છે. તમને જણાવી દઈએ કે ઘણા કેસોમાં દોષિત ઠેરવ્યા બાદ તે 2017 અને 2018 માં જેલની સજા ભોગવી રહ્યા છે.
આ પણ વાંચો: સુનંદા પુષ્કર કેસઃ દિલ્લી પોલિસે કોર્ટને શશિ થરુર પર આરોપ નક્કી કરવાની કરી માંગ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
