લખીમપુર ખીરી ઘટનાઃ કેન્દ્રીય મંત્રી હટાવવાની માંગને લઈને આજે ખેડૂતોનુ દેશવ્યાપી રેલ રોકો આંદોલન
સંયુક્ત મોરચાએ આજે દેશભરમાં 6 કલાકનુ રેલ રોકોનુ એલાન કર્યુ છે.
નવી દિલ્લીઃ સંયુક્ત મોરચાએ આજે દેશભરમાં 6 કલાકનુ રેલ રોકોનુ એલાન કર્યુ છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીને તેમના પદ પરથી હટાવવામાં આવે. વાસ્તવમાં લખીમપુર ખીરીની ઘટનામાં જે રીતે ખેડૂતોના મોત થયા ત્યારબાદથી નારાજ ખેડૂતો કેન્દ્રીય મંત્રીને હટાવવાની માંગ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ઘટનામાં અજય મિશ્રાનો દીકરો આશિષ મિશ્રા પણ આરોપી છે. શનિવારે ખેડૂતો તરફથી નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યુ કે અજય મિશ્રાને પદ પરથી હટાવવામાં આવે અને તેમની ધરપકડ કરવામાં આવે જેથી લખીમપુર હિંસા મામલે ન્યાય થઈ શકે.

ખેડૂતો તરફથી જાહેર કરાયેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ કે સંયુક્ત ખેડૂત મોરચો પોતાના સંસદીય ક્ષેત્રમાં રેલ રોકો આંદોલન કરશે અને 18 ઓક્ટોબરે 6 કલાક સુધી ટ્રેનોનુ સંચાલન નહિ થવા દે. આ આંદોલન સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. ખેડૂત મોરચાએ આ આંદોલનને શાંતિપૂર્ણ રીતે કરવાનુ આહ્વાન કર્યુ છે. કોઈ પણ પ્રકારની સંપત્તિને આ દરમિયાન નુકશાન ન પહોંચાડવા માટે કહેવામાં આવ્યુ છે. રેલવેની પણ કોઈ સંપત્તિને નુકશાન પહોંચાડવામાં આવશે નહિ. ખેડૂતોનુ કહેવુ છે કે અમે અજય મિશ્રા ટેનીને પદ પરથી હટાવવાની માંગ ઘણા સમયથી કરી રહ્યા છે. ભારતીય કિસાન યુનિયનના પ્રદેશ અધ્યક્ષ રતન માને કહ્યુ કે આ માટે તમામ જિલ્લાઓમાં આંદોલનકારી ખેડૂત આગેવાનોને વિવિધ પ્રકારની કામગીરી સોંપવામાં આવી છે.
જ્યાં સુધી તે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીના પદ પર રહેશે ત્યાં સુધી મામલાની યોગ્ય તપાસ નહિ થઈ શકે. અજય મિશ્રા નફરત ફેલાવવાનુ કામ કરે છે, તે હિંદુ અને સિખો વચ્ચે તણાવ વધારવાનુ કામ કરે છે, પોતાના ભાષણ દ્વારા તે લોકોમાં તિરાડ પાડવાની કોશિશ કરે છે. તેમની ગાડીનો જ ઉપયોગ કરીને શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહેલા ખેડૂતોના જીવ લેવામાં આવ્યા. જો કે અજય મિશ્રાએ કહ્યુ છે કે તેમના ઉપર લગાવવામાં આવેલા બધા આરોપો નિરાધાર છે, ઘટના સમયે તેમનો દીકરો ઘટના સ્થળો નહોતો. આશિષ મિશ્રાનુ એ પણ કહેવુ છે કે ઘટના સમયે તે ઘટના સ્થળે નહોતો, તેના પર લગાવવામાં આવેલ આરોપ નિરાધાર છે. તમને જણાવી દઈએ કે આશિષ મિશ્રા અને ત્રણ અન્ય લોકોની પોલિસે ધરપકડ કરી હતી. આશિષ મિશ્રાને એસઆઈટીએ જેલમાં મોકલી દીધા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
