વિદેશોમાં ફસાયેલા ભારતીયોને કેટલુ ચૂકવવુ પડશે ફ્લાઈટનુ ભાડુ, જુઓ આખુ લિસ્ટ
આવો જાણીએ કે ઘણા દેશોમાં ફસાયેલા ભારતીયોને સરકાર દ્વારા મોકલવામાં આવી રહેલ ફ્લાઈટનુ કેટલુ ભાડુ આપવુ પડશે?
કોરોના વાયરસ ફેલાયા બાદ દુનિયાભરમાં કરવામાં આવેલ લૉકડાઉનના કારણે હજારોની સંખ્યામાં ભારતીયો વિદેશમાં ફસાયેલા છે. ભારતની મોદી સરકાર તેમને પાછા લાવવા માટે યોજના બનાવી ચૂકી છે. ઘણા તબક્ક્માં આ વિદેશોમાં ફસાયેલા ભારતીય ભારત લાવવામાં આવશે પરંતુ તેમને પોતાની મુસાફરી ખર્ચ જાતે ઉઠાવવો પડશે. તો આવો જાણીએ કે ઘણા દેશોમાં ફસાયેલા ભારતીયોને સરકાર દ્વારા મોકલવામાં આવી રહેલ ફ્લાઈટનુ કેટલુ ભાડુ આપવુ પડશે?

64 ફ્લાઈટોથી ભારત લાવવામાં આવશે ભારતીય
તમને જણાવી દઈએ કે નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ મંગળારે કહ્યુ કે એરઈન્ડિયા કોવિડ-19ના કારણે લાગેલા લૉકડાઉના કારણે વિદેશમાં ફસાયેલા લગભગ 15000 ભારતીય નાગરિકોને દેશમાં પાછા લાવવા માટે સાતથી 13 મે સુધી 64 ફ્લાઈટો મોકલાશે. મંત્રીએ ઑનલાઈન પત્રકાર સંમેલનમાં કહ્યુ કે ખાનગી ભારતીય એરલાઈન્સ પણ 13 મે બાદ આ અભિયાનમાં શામેલ થઈ શકે છે.

આટલુ આપવુ પડેશે ભાડુ
તેમણે કહ્યુ કે આ ફ્લાઈટોનો લાભ લેનાર લોકોને ખર્ચ જાતે ઉઠાવવો પડશે. યુકે અને યુએસથી દિલ્લી ફ્લાઈટના મુસાફર પાસેથી 50,000થી 1 લાખ રૂપિયા ભાડુ લેવાાં આવશે જ્યારે ઢાકા-દિલ્લી ફ્લાઈટ પર 12,000 રુપિયા આપવા પડશે. વળી, સિંગાપુરથી દિલ્લી અને મુંબઈ મુસાફરી કરનારને 20 હજાર રૂપિયા આપવા પડશે. વળી, સિંગાપુરથી બેંગલુરુ આવતા યાત્રીઓને 18 હજાર રૂપિયા આપવા પડશે.

જુઓ આખુ લિસ્ટ
આ લિસ્ટમાં તમે જોઈ શકો છો કે બીજા દેશોમાંથી આવનારા મુસાફરોને કેટલુ ભાડુ ચૂકવવુ પડશે. પુરી અનુસાર વિદેશથી પાછા આવ્યા બાદ કોવિડ-19 સાવચેતી હેઠળ બધા યાત્રીઓની સ્ક્રીનિંગ કરવી પડશે અને તેમને 14 દિવસ સુધી આઈસોલેશનમાં રાખવામાં આવશે. એર ઈન્ડિયા અને તેમની સહાયક કંપની એર ઈન્ડિયા એક્સપ્રેસ સંયુક્ત આરબ અમીરાત, બ્રિટન, અમેરિકા, કતાર, સઉદી અરબ, સિંગાપુર, મલેશિયા, ફિલીપીન, બાંગ્લાદેશ, બહેરીન, કુવૈત અને ઓમાન સહિત 12 દેશોથી ભારતીયોને પાછા લાવવા માટે 64 ફ્લાઈટોને સંચાલિત કરશે.

જુઓ ભાડાની બીજી યાદી
આ ભાડાની બીજી યાદી છે. તમને જણાવી દઈએ કે ભારત વિદેશથી ભારતીયોને પાછા લાવવા માટે સાત મેથી 13 મે સુધી સંયુક્ત આરબ અમીરાત માટે 10, અમેરિકા અને બ્રિટન માટે સાત-સાત, સઉદી અરબ માટે પાંચ, સિંગાપુર માટે પાંચ અને કતાર માટે બે ફ્લાઈટો મોકલશે. તેમણે જણાવ્યુ કે આ રીતે મલેશિયા અને બાંગ્લાદેશ માટે સાત-સાત, કુવૈત અને ફિલીપીન માટે પાંચ પાચ તથા ઓમાન તેમજ બહેરીન માટે બે-બે ફ્લાઈટો મોકલવામાં આવશે. દેશમાં કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે 5 માર્ચથી લૉકડાઉન છે તથા આ દરમિયાન બધા બિઝનેસ ફ્લાઈટ બંધ રહેશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
